બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન ફિલ્મોમાં એક્ટિંગ સિવાય પોતાની સાદગીને લઇને પણ ચર્ચામાં રહે છે.
અમિતાભ બચ્ચન કરોડોની સંપત્તિના માલિક છે, ત્યારે કોન બનેગા કરોડપતિ (KBC) માં અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો કે, ''પોતાની પ્રોપર્ટીને તેઓ શું કરશે.''
તાજેતરમાં ટેલિકાસ્ટ થયેલા એપિસોડમાં અમિતાભ બચ્ચને પોતાની પ્રોપર્ટી વિશે વાત કરી અને જણાવ્યુ કે તેઓ પોતાા નિધન પછી કેવી રીતે પ્રોપર્ટીના ભાગ કરશે.
અમિતાભ બચ્ચન પાસે લગભગ 460 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જયા બચ્ચને લોકસભા ચૂંટણીમાં ભરેલા ઉમેદવારી ફોર્મમાં તે વાતનો ખુલાસો કર્યો. આ વિશે વાત કરતા બિગ બીએ કહ્યુ કે, ''જ્યારે હુ દુનિયામાં નહી હોવ ત્યારે મારી પાસે કંઇ પણ છે તે મારા સંતાનોનું છે. મારે એક દિકરો અને દિકરી છે અને બંને વચ્ચે બરાબરના ભાગલા પડશે.''
The mother to 1200 orphans, Sindutai Sapakal, graces #KBC with her presence as our first Karamveer. Don't miss tonight's Karamveer Special on KBC at 9 PM @SrBachchanpic.twitter.com/16MKOJbzUQ
ગત સિઝનની જેમ આ સિઝનમાં પણ 'કોન બનેગા કરોડપતિ' કર્મવીર સ્પેશિયલ એસિપોડ હતો. જેમાં સમાજ સેવિકા સિંધુતાઈ સીટ પર બિરાજમાન થયા હતા. તેઓ અનાથ આશ્રમ ચલાવે છે અને તેઓ 1200 બાળકોની દેખરેખ રાખે છે. અમિતાભે સિંધુતાઈને પૂછ્યું કે આશ્રમમાં વધારે છોકરીઓ છે કે છોકરાઓ.. જેની જવાબ આપતા તેમણે કહ્યુ કે, ''હું છોકરીઓનું વધારે ધ્યાન રાખું છું કારણ કે તે વધારે મહત્વનું છે''
અમિતાભ સિંધુ તાઈની આ વાતો પર ભાવુક થઈ ગયા અને દીકરો-દીકરી વચ્ચે મતભેદને ખત્મ કરવા માટે મનની વાત સામે રાખી દીધી. તેમણે કહ્યુ કે, ''બંને સંતાનોને સરખા ભાગે તેમની પ્રોપર્ટી મળશે.''