કોરોનાં વાયરસ દુનિયાભરમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી ચુક્યો છે. દેશમાં લોકોને કોરોના વાયરસ સામે જાગૃત કરવા અને સેલીબ્રીટી પોતાનો સંદેશ આપી રહ્યા છે. હમણાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ Twitter ઉપર આવો જ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેઓ કોરોનાવાયરસ કેવી રીતે માનવ મળ સાથે સંકળાયેલો છે તેના વિષે માહિતી આપે છે.
શું કહ્યું અમિતાભ બચ્ચને
અમિતાભ કહે છે કે અત્યારે આપણો દેશ કોરોના વાયરસ સામે લડત આપી રહ્યો છે અને આપણે સૌએ તેમાં એક ખૂબ અગત્યની ભૂમિકા ભજવવાની છે.
તેઓ કહે છે કે ચીનના નિષ્ણાતોએ હમણાં જ સંશોધન કર્યું છે કે કોરોના વાયરસ માનવ મળમાં ઘણા લાંબા સમય સુધી જીવિત રહી શકે છે. રીકવર થઇ ગયેલા દર્દીના મળમાં પણ થોડા અઠવાડિયા સુધી કોરોના વાયરસ જીવિત રહી શકે છે.
જો આવા કોઈ વ્યક્તિના મળ ઉપર કોઈ માખી બેસે અને આ માખી ત્યાર પછી ખાવા પીવાની ચીજવસ્તુઓ ઉપર બેસે તો આ બીમારી વધુ ફેલાઈ શકે છે.
આ માટે એ ખૂબ મહત્વનું છે કે કોરોના વાયરસ સામે લડવા માટે વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાન વખતે બનાવેલા જન આંદોલનની જેમ જ એક જન આંદોલન કરીને ભારતને ખુલ્લામાં શૌચથી મુક્ત બનાવીએ. જેવી રીતે સૌએ ભેગા થઇને 'દો બુંદ ઝીંદગી કે' અભિયાન ચલાવીને ભારતને પોલિયોથી મુક્ત કર્યું હતું તે જ રીતે હું તમને હાથ જોડી વિનંતી કરું છે કે આ ૩ કામો કરીને કોરોના વાયરસ સામેની દેશવ્યાપી લડતમાં પોતાનો ફાળો આપો.
૧. પોતાના શૌચાલયનો નિયમિત ઉપયોગ કરીને ખુલ્લામાં શૌચ કરવા ન જાય.
૨. સોશ્યલ ડિસ્ટન્સિંગ: લોકોથી શારીરિક રીતે અંતર રાખવામાં આવે અને કટોકટીની પરિસ્થિતિ સિવાય ઘર છોડીને ન જવામાં આવે.
૩. દિવસમાં વારંવાર સાબૂથી હાથ ધોઈએ અને સતત ૨૦ સેકન્ડ સુધી ઘસીને ધોઈએ. દિવસ દરમિયાન આપણા ચહેરાને બિલકુલ અડકીએ નહિ.
કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે એક જ સૂત્ર કામનું છે. દરવાઝા બંધ તો બિમારી બંધ! શૌચાલયનો ઉપયોગ કરો. દરરોજ અને હંમેશા.
નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસને ફેલાતો રોકવાના ૨૧ દિવસના લોક ડાઉનનો આજે પ્રથમ દિવસ છે. સમગ્ર દેશ અત્યારે કોરોના વાયરસને રોકવાની ચળવળમાં જોડાયો છે.