બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણાં જ એક્ટિવ રહે છે અને તેમના ટ્વિટ પણ ખૂબ વંચાય છે. બોલિવૂડના શહેશાહે હાલમાં જ એક ટ્વિટ કર્યું છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં અમિતાભે જીવન અને મરણ વિશે વાત કરી છે. ચાલો જાણીએ.
સોશિયલ મીડિયા પર ઘણાં જ એક્ટિવ રહે અમિતાભ
અમિતાભના એક સવાલથી ફેન્સને લાગ્યો ઝટકો
ફેન્સે કમેન્ટ્સની લગાડી દીધી લાઈન
T 3444 -
"हम बग़ैर मुहूर्त के जन्म लेते हैं और बग़ैर मुहूर्त के हमारी मृत्यु भी हो जायेगी भलीभाँति जानते हैं..
फिर सारी उम्र शुभ मुहूर्त के पीछे क्यूँ भागते हैं...?" ~ Ef Vb
અમિતાભ બચ્ચને ટ્વિટમાં લખ્યું, આપણે મુહૂર્ત વિના જન્મીએ છીએ અને આપણે પણ મુહૂર્ત વિના મરી જઈશું, એ વાત આપણે બધાં જાણીએ છીએ તો પછી આખી જિંદગી આપણે કેમ શુભ મુહૂર્ત પાછળ ભાગીએ છીએ. કોઈ આનો જવાબ આપી શકે છે? આ રીતે અમિતાભે જીવન અને મૃત્યુને લઈને સવાલ તો કર્યો જ છે સાથે જ આપણી સોચ પર ટોન્ટિંગ પણ કર્યું છે. અમિતાભ બચ્ચનની આ ટ્વિટનું ફેન્સ ખૂબ રિપ્લાય આપી રહ્યાં છે.
T 3439 - From Ef sp
"कोई अगर आपके अच्छे, कार्य पर सन्देह करता है...
तो करने देना , क्योकि...
અમિતાભ બચ્ચન સોશિયલ માીડિયા પર વિચારવા માટે મજબૂર કરી દે એવા ટ્વિટ કરે છે. થોડા સમય પહેલાં તેમણે એક ટ્વિટ કર્યું હતું, જેમાં લખ્યું હતું જો કોઈ તમારા સારાં કામ પર શંકા કરે છે તો કરવા દો, કારણ કે શંકા સદા સોનાની શુદ્ધતા પર કરવામાં આવે છે નહીં કે, કોલસાની કાળાશ પર.
હાલમાં જ અમિતાભ પરિવાર સાથે ચાર્ટર પ્લેનમાં શનિવારે ભોપાલ પહોંચ્યા હતા. તેઓ તેમની સાસુ ઈન્દિરા ભાદુરીનો 90મો જન્મદિવસ ઉજવવા અહીં આવ્યા હતા. બચ્ચન પરિવાર થોડાં કલાક અહીં રોકાયો અને પછી પરત મુંબઈ આવી ગયો. અમિતાભ સાથે તેમની પત્ની જયા, દિકરો અભિષેક, વહુ ઐશ્વર્યા અને દિકરી શ્વેતા નંદા અને પૌત્રા આરાધ્યા શનિવારે સવારે ભોપાલ પહોંચ્યા હતા.