કોરોના વાયરસની સામે રક્ષણ મેળવવા માટે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનતા કફર્યૂની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 માર્ચ એટલે કે આજે જનતા કફર્યૂનું જાહેરાત કરી છે, જોકે પ્રધાનમંત્રી આ વિચારને બોલિવુડ-સ્પોર્ટ્સ જગતા સેલેબ્સ સિવાય સામાન્ય જનતાએ પણ વધાવી લીધો છે.
જી હા, બોલિવુડ અને સ્પોર્ટ્સ સેલેબ્સ આગળ આવ્યા છે અને પોતાના સોશ્યલ મીડિયા પર આ કફર્યૂને લઇને સતત પોસ્ટ કરતા રહી છે. ત્યારે અમિતાભ બચ્ચને પણ ગઇ કાલે ટ્વીટ કરતા કહ્યુ હતુ કે, ''કાલે સમગ્ર દેશ જનતા કર્ફ્યુમાં રહેશે. હું આને સપોર્ટ કરું છું અને કાલે 22 માર્ચે સાંજે 5 વાગ્યે મારા ઘરની બારી, અગાસી પર જઈને તાળી, ઘંટી, શંખ વગાડીને એ દરેકનું સમ્માન કરીશ જે નિઃસ્વાર્થ, કઠિન પરિસ્થિતિઓમાં પણ મહત્ત્વપૂર્ણ સેવાઓ પૂરી કરવામાં કાર્યરત છે.''
T 3477 - कल सारा देश #JanataCurfew में रहेगा ! मैं इसे मान्यता दूँगा , और कल 22 March , 5 pm अपने खिड़की, दरवाज़े, बाल्कनी, छत पर खड़ा होकर, ताली, घंटी, शंख बजा कर उन सब का सम्मान करूँगा जो निस्वार्थ , कठिन परिस्थितियों में भी महत्वपूर्ण सेवायों को पूरा करने में कार्यरत हैं । pic.twitter.com/BPIOdCsNCY
આ સિવાય તેમણે ટ્વીટમાં એક ફોટો પણ શૅર કર્યો છે અને લખ્યુ છે કે, ડોકટર ભગવાનનું બીજું રૂપ છે. અમિતાભ બચ્ચન કોરોના વાઇરસને લઈને ઘણી માહિતી સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. આ પહેલા પણ કોરોના સામે જંગ લડવા માટે કવિતા લખી હતી.
શું છે જનતા કફર્યૂ:
22 માર્ચ એટલે કે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સવારે 7 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુનું એલાન કર્યું છે. ઉપરાંત સાંજે 5 વાગ્યે ઘરના દરવાજા પાસે કે બારી પાસે કે અગાસી પર આવીને જીવના જોખમે વિવિધ સેવાઓ પૂરી પાડનાર દરેક નિઃસ્વાર્થ કાર્યકરોનો આભાર માનવા પણ કહ્યું છે. તાળી પાડી કે થાળી વગાડી તેમનો આભાર માનવા કહ્યું છે.