બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ને દાદાસાહેબ ફાળકે એવોર્ડ(Dadasaheb Phalke Award) થી સન્માનિત કરવામાં આવશે. આ અંગેની માહિતી અને પ્રસારણ મંત્રીએ આ માહિતી આપી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સર્વસંમતિથી અમિતાભ બચ્ચનના નામની પસંદગી કરવામાં આવી છે.
મહાનાયકનું દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માન
પ્રકાશ જાવડેકરે જાહેરાત
કોણ હતા દાદા ફાળકે ?
દાદા સાહેબ ફાળકેને ભારતીય ફિલ્મ ઉધોગના પિતામહ કહેવામાં આવે છે. દાદા સાહેબનું પૂરું નામ ધૂંડીરાજ ગોવિંદ ફાળકે હતું. દાદા સાહેબનો જન્મ મહારાષ્ટ્રના નાસિક પાસે આવેલ ભગવાન શિવની નગરી એવા ત્ર્યંબકેશ્વરમાં 30, એપ્રિલ, 1870ના રોજ થયો હતો. એમના પિતા સંસ્કૃતના પ્રખર પંડિત હતા અને મુંબઈની એક કોલેજમાં અધ્યાપક હતા.
The legend Amitabh Bachchan who entertained and inspired for 2 generations has been selected unanimously for #DadaSahabPhalke award. The entire country and international community is happy. My heartiest Congratulations to him.@narendramodi@SrBachchanpic.twitter.com/obzObHsbLk
ઉલ્લેખનીય છે કે, દાદા સાહેબે કુલ 125 જેટલી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. જેમાં 98લાંબી અને 27ટૂંકી ફિલ્મોનો સમાવેશ થાય છે. દિગ્દર્શક તરીકે તેમાંથી 41લાંબી અને 20ટૂંકી ફિલ્મો તેમણે બનાવી.
1969 થી ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે એવોર્ડ
ભારતમાં સિનેમાનો પાયો નાખવામાં અને આટઆટલા યોગદાનના કારણે જ દાદા સાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સિનેમા ક્ષેત્રે સર્વોચ્ચ યોગદાન માટે તેમના નામ ઉપરથીજ 1969ના વર્ષથી 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ 'આપવામાં આવે છે .