અમિતાભ બચ્ચનને પાન મસાલા એડ મામલામાં એક્શન લીધી છે.
અમિતાભે જન્મ દિવસ પર લીધો મોટો નિર્ણય
પાન મસાલા બ્રાન્ડને કર્યું અલવિદા
જાણો શા માટે લીધો આ નિર્ણય
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અમુક સમય પહેલા એક પાન મસાલાની એડ કરવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયા હતા અને તેમને આ એડને લઈને ખૂબ ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. એક્ટરે તેના પર ખાસ પ્રતિક્રિયા ન હતી આપી પરંતુ હવે આ મામલામાં અમિતાભ બચ્ચને એક્શન લઈ લીધુ છે. તેમણે આ એડમાંથી પોતાનું નામ પરત ખેંચી લીધું છે. એક્ટરે તેનું કારણ જણાવતા કહ્યું છે કે તે આવું એટલા માટે કરી રહ્યા છે જેથી નવી પેઢીને પાન મસાલાનું સેવન કરવા માટે મોટિવેશન ન મળે. તેમણે આ જાહેરાત માટે મળેલી ફી પણ પરત કરી દીધી છે.
કમલા પસંદ એડથી અમિતાભે પરત લીધુ નામ
અમિતાભ બચ્ચને કમલા પસંદ એડ કરી હતી જ્યાર બાદથી લઈને ઘણા બધા લોકોએ આપત્તિ વ્યક્ત કરી હતી. લોકોનું એવું માનવું છે કે દેશની સીનિયર મોસ્ટ પર્સનાલિટી હોવાના કારણે અમિતાભે આવી જાહેરાતો ન કરવી જોઈએ. નેશનલ એન્ટી-તમાકુ ઓર્ગેનાઈઝેશને પણ અમિતાભ બચ્ચનને રિક્વેસ્ટ કરી હતી કે બિગ બી આ એડથી પોતાનું નામ પરત લઈ લે.
લોકોએ સોશિયલ મીડિયા પર કર્યા હતા ટ્રોલ
આ ઉપરાંત આ મામલામાં અમિતાભ બચ્ચનના અમુક ફેન્સ પણ ગુસ્સામાં આવી ગયા હતી અને તેમને સુપરસ્ટારનો આ મુવ પસંદ ન હતો આવ્યો. હવે અમિતાભની તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વચ્ચે અમિતાભ બચ્ચનને એક ફેને પાન મસાલાની એડ કરવા પર પણ સવાલ કર્યો હતો. તેના જવાબમાં અમિતાભે કહ્યું હતું કે, "જો કોઈ સંસ્થાને આનાથી ફાયદો થઈ રહ્યો છે તો પછી આપણે આ રીતે ન વિચારવું જોઈએ. જેવી રીતે આપણી ઈન્ડસ્ટ્રી ચાલે છે એવી જ રીતે તેમની ઈન્ડસ્ટ્રી પણ ચાલે છે. તમને એવું લાગે છે કે મને આ ન કરવું જોઈએ પરંતુ મને તેના માટે ફી મળી છે. "