અમિતાભ બચ્ચન અંતિમ દર્શન કરવા માટે લતા મંગેશકરના નિવાસસ્થાને પહોંચ્યા
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન લતા મંગેશકરના નિધનથી ખૂબ દુખી થયા છે. અમિતાભ બચ્ચન અંતિમ દર્શન કરવા માટે લતા મંગેશકરના નિવાસસ્થાન પહોંચ્યા હતા. લતા મંગેશકરના અંતિમ દર્શન કર્યા બાદ અમિતાભ ભાવુક થયા હતા. આ શોકના પ્રસંગે તેમણે બ્લોક લખીને કહ્યું કે તેઓ આપણને છોડીને ચાલ્યા ગયા, સદીઓનો શ્રેષ્ઠ અવાજ ખામોશ થયો. તેમનો અવાજ હવે સ્વર્ગમાં ગૂંજશે. તેમના આત્માની શાંતિ માટે કામના કરુ છું.
પુત્રી શ્વેતા સાથે લતા મંગેશકરને ઘેર આવ્યાં અમિતાભ
અમિતાભ બચ્ચન પુત્રી શ્વેતા સાથે લતા મંગેશકરને ઘેર આવીને તેમના અંતિમ દર્શન કર્યાં હતા. બચ્ચન આ પ્રસંગે ખૂબ ગળગળા થયા હતા. લતા સાથેનો તેમનો ખૂબ જુનો નાતો છે.
સાંજે કરાશે અંતિમ સંસ્કાર
આધિકારિક જાણકારી અનુસાર લતા મંગેશકરના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર આજે સાંજે સાડા 6 વાગે શિવાજી પાર્કમાં કરવામાં આવશે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે લતા દીદીને અંતિમ વિદાય આપવામાં આવશે. તેમના પાર્થિવ દેહને બપોરના સમયે તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે.
બે દિવસ માટે રાષ્ટ્રીય શોક જાહેર
સૂરોની લતા, દેશના સ્વર કોકિલાના નિધન પર દેશ આખો દુખી છે ત્યારે બે દિવસ માટે રાષ્ટ્રીય શૉક જાહેર કરવામાં આવ્યો છે.
લતા મંગેશકરના નિધન પર રાહુલ ગાંધીનું ટ્વીટ
લતા મંગેશકરજીના નિધનના દુઃખદ સમાચાર મળ્યા. તે ઘણા દાયકાઓ સુધી ભારતનો સૌથી પ્રિય અવાજ રહ્યો. તેમનો મધુર અવાજ અમર છે અને તેમના ચાહકોના હૃદયમાં ગુંજતો રહેશે. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી સંવેદના