સદીના મહાનાયક અમિતાભ બચ્ચને આ દશેરા પર જરૂરિયાત મંદ લોકોની મદદ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે સૌથી પહેલા લોન ન ભરી શકનારા ખેડૂતોને દેવું ચૂકવવા જઇ રહ્યા છે. અમિતાભ બચ્ચને પોતાના બ્લોકમાં લખ્યુ કે ઉત્તર પ્રદેશના 850 ખેડૂતોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે અને તેમના માટે 5.5 કરોડની લોનનું ધ્યાન રાખવામાં આવશે. આ કાર્યમાં બેંક દ્વારા કરવામાં આવેલુ કામ સરાહનીય છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને એક સરકાર એજન્સી દ્વારા દેશની સુરક્ષામાં શહિદ થયેલા જવાનોના પરિવારને મદદ કરવાના હેતુથી પૈસાનું દાન કર્યુ હતુ.
અમિતાભે પોતાના બ્લોગમાં આગળ લખ્યુ કે ''મેં મહારાષ્ટ્ર તરફથી શહીદોના 44 પરિવારો જેમાં 112 લોકો છે તેમને નાની મદદ કરી છે. આ શહિદો માટે દેશમાં અન્ય ભાગોમાંથી મદદ આવવી જોઇએ. આ જરૂરી છે.'' બિગ બીએ આગળ લખે છે કે ખેડૂતોને આત્મહત્યાથી બચાવવા માટે 350થી વધારે ખેડૂતોને લોન પહેલા ચૂક્તે કરી દેવાઇ છે.
અમિતાભ બચ્ચને તેમ પણ જણાવ્યુ કે તેઓ અજીત સિંહની પણ મદદ કરશે. અજીત સિંહ દેહવિક્રયના ધંધામાં જબરજસ્તી ધકેલાતી છોકરીઓને બચાવવા માટેનું કાર્ય કરે છે. આ ઉપરાંત બિગ બીએ સરબાની દાય રોયની પણ મદદ કરી છે. બિગ બીએ કહ્યું કે સરબાની માસનિક રોગીઓના ઉત્થાન માટે સારું કામ કરી રહી છે અને તેમની પોતાના સ્તર પર મદદ કરશે.