બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં કોરોનાનો ઇલાજ કરાવી રહ્યાં છે અને છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં છે પરંતુ તે ટ્વિટર અને ફેસબૂકના માધ્યમથી ફેન્સ સાથે જોડાયેલા છે. અમિતાભે હાલમાં જ તેમના બ્લોગમાં જણાવ્યુ છે કે તે આઇસોલેશન પિરીયડમાં શું કરી રહ્યાં છે.
અમિતાભે જણાવી હોસ્પિટલની જર્ની
બ્લોગમાં લખ્યુ આઇસોલેશનમાં શું કરે છે
કોરોના ટ્રીટમેન્ટ વિશે પણ જણાવ્યુ
અમિતાભ બચ્ચને જણાવ્યુ કે તે રાત્રે ગીતો ગાય છે, તેમણે તેમના બ્લોગમાં લખ્યુ છે તે રાતના અંધારામાં અને રૂમની ઠંડીમાં આંખો બંધ કરીને સૂવાનો પ્રયત્ન કરુ છું હું..મારી આસપાસ કોઇ નથી...
એકલતામાં બચ્ચન
અમિતાભે કોરોના ટ્રીટમેન્ટની સાઇડ ઇફેક્ટ વિશે પણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે કોરોનાનો ઇલાજ કરાવતો વ્યક્તિ ઘણાબધા દિવસ સુધી એકલો જ રહેતો હોય છે. તેને કોઇ વ્યક્તિનો ચહેરો જોવા મળતો નથી. ડૉક્ટર તેમજ નર્સ તેમને જોવા આવે છે પરંતુ તે પણ PPE કિટથી સજ્જ હોય છે. લખેલી દવા આપે અને જતા રહે છે કારણકે વધારે સમય કોરોનાના દર્દી સાથે રહેવાથી તેમને પણ સંક્રમણ થવાની શક્યતાઓ રહે છે.
વધુમાં શહેનશાહે કહ્યું કે, મગજ ઉપર પણ આ વસ્તુને લઇને જોર પડે છે કે તમારી આસપાસ કોઇ જ નથી. જે મેડિકલ સ્ટાફ આવે છે તેમના ચહેરા કેવા છે તે પણ જાણી શકાતુ નથી. ક્ઇ વ્યક્તિ કેવી દેખાય છે અને ડૉક્ટર પણ વીડિયો કોલ પર જ તેમની સાથે વાત કરે છે.
મગજ પર થાય છે અસર
કોરોના પેશ્ન્ટ જ્યારે ઠીક થઇ જાય છે ત્યારે તેના શરીર તેમજ મગજ પર અસર થાય છે કારણ કે તે એવુ વિચારતો થઇ જાય છે કે તેને લોકો એક્સેપ્ટ કરશે કે નહી. તેમની સાથે અલગ વર્તન તો નહી થાય ને.. ડિપ્રેશન આવી જાય છે અને મગજના ડૉક્ટર પાસે પણ લઇ જવામાં આવે છે. બિમારી તમારા શરીરને છોડી દે પરંતુ તાવ 3થી 4 અઠવાડિયા સુધી રહે છે.
કોરોના વાયરસે આખી દુનિયામાં બદલાવ કરી દીધા છે. તેમણે કહ્યું કે, આ બિમારીનો કોઇ ફૂલ પ્રુફ રસ્તો નથી. દરરોજ એક નવુ લક્ષણ આવે છે અને એક નવુ રિસર્ચ થાય છે. આ પહેલા મેડિકલ દુનિયાને આટલી અપંગ નથી જોઇ, એક કે બે શહેર નહી પરંતુ આખી દુનિયા કોરોના સામે લાચાર છે.