બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનનો શનિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. ત્યાં તેમની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. આ દરમિયાન તેઓ તેમના ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે અને સતત અપડેટ્સ પણ આપી રહ્યાં છે. ત્યારે હવે બિગ બીએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને કેટલીક કામની વાતો શેર કરી છે.
બિગ બી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં છે
હોસ્પિટલમાં હોવા છતાં બિગ બી ફેન્સ સાથે કનેક્ટેડ રહે છે
બિગ બીએ હાલમાં જ કેટલીક કામની વાતો શેર કરી છે
બિગ બીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, આ 6 પ્રકારની આદતોવાળા લોકો ક્યારેય ખુશ રહી શકતા નથી. લોકોની ઈર્ષ્યા કરનારાસ અન્ય લોકો પ્રત્યે નફરત રાખનારા, અસંતોષી, ગુસ્સો કરનારા, હમેશાં મનમાં શંકા રાખનારા અને અન્ય પર જીવતા લોકો હમેશાં દુઃખી થાય છે. જેથી આવા લોકોથી હમેશાં બચીને રહેવું જોઈએ. આ વાત તેમણે સંસ્કૃતનો એક શ્લોક શેર કરીને કહી છે.
આ પહેલાં બિગ બીએ સોશિયલ મીડિયા પર તેમના સારાં સ્વાસ્થ્યની કામના કરી રહેલાં તેમના ફેન્સનો આભાર માન્યો હતો. તમને જણાવી દઈએ કે, બિગ બી અને અભિષેક હોસ્પિટલમાં છે. જ્યારે એશ્વર્યા અને આરાધ્યા હોમ ક્વોરંટાઈન છે. જ્યા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.