અમિતાભ બચ્ચનની લાઇફની ઘણી સ્ટોરી સામે આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે જયા મોટાભાગે એમની લાઇફમાં આલનારી મહિલાઓને લઇને પરેશાન રહી, પરંતુ આ કહાની જયા અને અમિતાભની લાઇફમાં આવતા પહેલાની છે.
હાલના દિવસોમાં અમિતાભ બચ્ચનની લાઇફના ઘણા રહસ્ય ખુલી રહ્યા છે. જાણીતો ટીવી ક્વિઝ શો કોન બનેગા કરોડપતિને હોસ્ટ કરતા દરમિયાન કન્ટેસ્ટેન્ટની સાથે વાતચીતમાં એમને પોતાની લાઇફની ઘણી જોકદાર ક્ષણ યાદ આવે છે. અમિતાભે બુધવારના એપિસોડમાં એક જોરદાર ઘટના સંભળાવી. જ્યારે દિલ્હીમાં અભ્યાસ દરમિયાન એમને ડીટીસીની બસમાં એક યુવતી પસંદ આવી ગઇ હતી.
આ ઘટના અમિતાભને એક પ્રશ્નના જવાબમાં યાદ આવી. એમને ગોસ્વામી તુલસીદાસની ચોપાઇ રઘુકુળ રીતિ સદા ચલી આઇ પ્રાણ જાયે પર...ન જાઇ, અહીંયા... ની જગ્યા પર કયો શબ્દ આવશે. એનો સાચો જવાબ હતો વચન.
આ ચોપાઇથી જોડાયેલી અમિતાભની ખૂબ જ ચોંકાવનારી યાદ જોડાયેલી હતી. વાસ્તવમાં અમિતાભ બચ્ચન દિલ્હી વિશ્વવિદ્યાલયની કિરોડીમલ કૉલેજમાં અભ્યાસ કરતા હતા, એ દરમિયાન તેઓ ડીટીસીની બસથી યાત્રા કરતા હતા. એ દરમિયાન એમને દરરોજ બસમાં એક યુવતી મળતી હતી.
અમિતાભ અનુસાર ડીટીસીની બસમાં ત્યારે કનૉટ પ્લેસ આવવાની આતુરતાથી રાહ જોતા હતા. કારણ કે ત્યાંથી ખૂબ જ સુંદર મહિલાઓ અને યુવતીઓ બસમાં ચઢતી હતી. ત્યાં બીજી કૉલેજ જેમ કે મિરાંડા હાઉસ વગેરેની ઘણી છોકરીઓ બસમાં સવાર થતી હતી. એ દરમિયાન એક છોકરી અમિતાભને ગમવા લાગી હતી.
અમિતાભ બચ્ચન અનુસાર એ દિવસોમાં તે ક્યારેય પણ એ યુવતી સાથે ખુલીને વાત કરી શકતા નહતા. પરંતુ ઘણા વર્ષો બાદ જ્યારે એ યુવતી સાથે મુલાકાત થઇ તો એમને પોતાના દિલની વાત કહી દીધી.
વાસ્તવમાં ત્યારે એ યુવતીનો એક અન્ય દોસ્ત પ્રાણ નામનો હતો. મોટાભાગે એ બંને સાથે મુસાફરી કરતા હતા. પરંતુ યુવતીની મનોદશા હંમેશા એવી રહી હતી કે પ્રાણ જાય પરંતુ વચન ના જાય. અમિતાભના જણાવ્યા અનુસાર ખુદ યુવતીએ જ બાદમાં આ વાતનો સ્વીકાર કર્યો કે એ પણ બસમાં અમિતાભને લઇને ભાવનાઓ રાખતી હતી. એટલે સુધી કે એ અમિતાભ માટે પ્રાણને છોડવા માટે પણ તૈયાર હતી.