કોરોના વાયરસના કારણે ભારતને 14 એપ્રિલ સુધી લોકડાઉન કરી દેવામાં આવ્યુ છે. સામાન્ય નાગરિકોથી લઇને સેલેબ્સ સુધી આ વચ્ચે ઘણા બોલિવુડ સ્ટાર્સ જાગરૂક્તા ફેલાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર એક્ટિવ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન સતત કોરોના વાયરસથી જોડાયેલી અપડેટ્સ શૅર કરી રહ્યા છે.
તાજેતરમાં જ અમિતાભ બચ્ચને એક ફોટો શૅર કર્યો છે અને આ ફોટોમાં એક આઇડિયા લખ્યો છે. અમિતાભ બચ્ચને ટ્વીટ કરતા લખ્યુ કે, આ મારા મતે સૌથી ફાયદાકારક આઇડિયા છે, મને ઇન્સ્ટાગ્રામ પર એક વ્યકિતએ શૅર કર્યો છે. આ ફોટોમાં લખ્યુ છે કે, આ એક આઇડિયા સરકારી પ્રશાસનનો મોકલી શકાય છે, તમામ રેલ સર્વિસ આ સમયે લૉકડાઉનના કારણે ઉભી છે, ટ્રેનની બૉગીમાં 20 રૂમ છે, જેનો ઉપયોગ કરી શકાય છે. 3000 ટ્રેનના હિસાબથી 60000 રૂમમાં લોકોને આઇસોલેશનમાં રાખી શકાય છે. હોસ્પિટલ ના હોવા કરતા આ આઇડિયા ઉપયોગમાં લઇ શકાય.
આ સિવાય અમિતાભ બચ્ચને કોરોના ડેશબોર્ડને લઇને પણ માહિતી શૅર કરી હતી, જેમાં લખ્યુ હતુ કે, કોરોના વાયરસને લઇને અપડેટ્સની સત્તાવાર વેબસાઇટ છે. આ વેબસાઇટ દર ચાર કલાકે અપડેટ થાય છે અને ભારતના દરેક રાજ્યમાં કોરોનાના દર્દીઓને લઇને અપડેટ્સ લઇ શકાય છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશને સતર્ક કરવા માટે મંગળવારે રાત્રે 8 વાગ્યે દેશવ્યાપી સંબોધન કરતાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ આ મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે. તેમણે સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરીને દેશવાસીઓને તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી. વર્તમાન સમયમાં વિકરાળ બની રહેલી સ્થિતિને ધ્યાનમાં રાખી દેશમાં આજે મધ્યરાત્રીથી ઓછામાં ઓછા 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે.