અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્નને 46 વર્ષ થઇ ગયા છે. 3 જૂન 1973માં તેમણે લગ્ન કર્યા હતા. પોતાની એનિવર્સરી પર બિગ બીએ રસપ્રદ વાત કહેતા કહ્યુ કે, છેવટે કેમ તેમણે જયા બચ્ચનની સાથે 1973માં લગ્ન કરી દીધા''.
બિગ બી અનુસાર, જ્યા અને તેમના મિત્રો વેકેશન કરવા માટે લંડન જવા ઇચ્છતા હતા, પરંતુ તેમના પિતા હરિવંશ રાય બચ્ચને સ્પષ્ટ રીતે કહ્યુ હતુ કે, ''તેઓ જયાને ત્યારે જ સાથે લઇ જઇ શકે છે જ્યારે તેમના લગ્ન થશે.'' આ તે સમય હતો જ્યારે અમિતાભ-જયા એકબીજાને ડેટ કરતા હતા.
ઉલ્લેખનીય છે કે, બિગ બીએ પોતાના મિત્રોને પ્રોમિસ આપ્યુ હતુ કે જો જંજીર હિટ થઇ જશે તો તેમણે લંડન ફરવા લઇ જશે. જોકે, અમિતાભના પિતા હરિવંશરાય બચ્ચનને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે અમિતાભ-જયાને સાથે લંડન મોકલવાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે અમિતાભ લગ્ન વગર કોઈ પણ યુવતી સાથે બહાર ફરવા જશે નહીં. ત્યારે અમિતાભે જયાને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને જયાએ પ્રપોઝલ સ્વીકારી લીધી હતી. બંનેના પરિવારે પણ આ સંબંધને મંજૂરી આપી હતી. ત્રણ જૂન, 1973માં બંનેએ લગ્ન કર્યાં હતાં.
લગ્ન કર્યાં બાદ અમિતાભ-જયા તરત જ લંડન ફરવા ગયા હતાં. આ લગ્નમાં અમિતાભ તથા જયના ક્લોઝ ફ્રેન્ડ તથા પરિવાર હાજર રહ્યાં હતાં. અમિતાભની જાનમાં માત્ર પાંચ લોકો સામેલ થયા હતાં. જેમાં ઈન્ડસ્ટ્રિઝમાંથી માત્ર ગુલઝાર સાબને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જયા બચ્ચન તરફથી પરિવારના સભ્યો સિવાય એક્ટર અસરાની તથા એક્ટ્રેસ ફરિદા જલાલ હાજર રહ્યાં હતાં. લંડન ફરીને આવ્યા બાદ જયા બચ્ચનના પરિવારે ભોપાલમાં રિસેપ્શન આપ્યું હતું. જેમાં તે સમયના મધ્ય પ્રદેશના રાજ્યપાલ સત્યનારાયણ સિંહા તથા કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન સિંહ સહિતની હસ્તીઓ હાજર રહી હતી.
આજે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનના લગ્નની એનિવર્સરી પર અભિષેકે પેરેન્ટ્સની ફોટો શૅર કરતા લખ્યુ કે, ''હેપ્પી એનિવર્સરી પેરેન્ટ્સ, તમને ઘણો બધો પ્રેમ, 46 વર્ષના થઇ ગયા અને હજી પણ આ સફર ચાલુ છે..''