સોશિયલ મીડિયા પર એક ફેનના સવાલનો જવાબ આપતા અમિતાભ બચ્ચેને જમાવ્યું કે કેમ તેમણે પોતાના કરિયરમાં પાન મસાલાની જાહેરાતોમાં કામ કર્યું છે.
સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અમિતાભ
ઈન્ટરનેટ યૂઝરે પોસ્ટ પર કમેન્ટ કરતા પુછ્યો સવાલ
જવાબમાં બિગ બીએ જણાવ્યું કેમ કરે છે પાન મસાલાની જાહેરાત
હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચનની ગણતરી દેશની આદર્શ હસ્તિઓમાં કરવામાં આવે છે. તેમના દરેક કામ પર લોકોની નજર રહે છે અને ઘણા લોકો તેમને ફોલો કરે છે. સોશિયલ મીડિયા પર બિગ બી ભારતના સૌથી વધુ ફોલો કરવામાં આવતી હસ્તિઓમાંથી એક છે. આ બધા વચ્ચે તે પાછલા થોડા સમયથી ટ્રોલિંગનો શિકાર થઈ રહ્યા છે.
ઘણી ફેમસ હસ્તિઓ માટે અમુક જાહેરાતોમાં કામ કરવું વિવાદો ભર્યું રહ્યું છે. ખાસ કરીને એવી પ્રોડક્ટની જાહેરાતોને લઈને જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનો પ્રચાર કરવાને લઈને લોકો તેમને ટ્રોલ કરતા રહે છે. આ વચ્ચે અમિતાભ બચ્ચનને એક યુઝરને તેની સાથે જોડાયેલો એક સવાલ કર્યો જેનો બિગબીએ જવાબ આપ્યો છે.
અમિતાબચ્ચને સમયને લઈને એક પોસ્ટ કરતા લખ્યું- "એક ઘડીયાળ શું હાથમાં બાંધી લીધી, સમય પાછળ જ પડી ગયો છે મારી."
આ પોસ્ટના કમેન્ટ બોન્કમાં એક યુઝરે સવાલ કર્યો, 'પ્રણામ સર, ફક્ત એક વાત પુછવી હતી તમનેસ શું કારણ છે કે તમને પણ કમલા પસંદ પાનમસાલાની જાહેરાત કરવી પડી?'
જવાબ આપતા ટ્વિટર પર અમિતાભ બચ્ચને રિપ્લાય આપ્યો, 'માન્યવર, ક્ષમા પ્રાર્થી છું, કોઈ વ્યવસાયથી જો કોઈનું ભલું થઈ રહ્યું છે તો વિચારવું ખોટુ નથી કે અમે તેમની સાથે કેમ જોડાય છે. હા જો બિઝનેસ છે તો અમારે પણ પોતાના વ્યવસાય વિશે વિચારવું પડે છે.'
અમિતાબચ્ચને આગળ લખ્યું કે, " હવે મતે એવું લાગી રહ્યું છે કે અમારે આ ન હતુ કરવાનું પરંતુ તે જાહેરાત કરવાથી મને પણ ધનરાશિ મળી હતી અને અમારા ઉદ્યોગના ઘણા કર્મચારીઓને પણ કામ અને ધનરાશી મળે છે."