સુશાંતના મોત બાદ બોલિવૂડના દિગ્ગજ લોકોએ તેના વિશે કોઇને કોઇ વાત કરી, સોશ્યલ મિડીયા પર પોસ્ટ મૂકીને દુખ વ્યક્ત કર્યુ અથવા તો જુના કિસ્સા યાદ કરીને ઇમોશનલ થયા પરંતુ બિગ બી અમિતાભ બચ્ચનની કોઇ પણ પ્રતિક્રિયા આવી નહોતી. હવે જ્યારે બચ્ચન નાના પરદા પર આવી ગયા છે ત્યારે તેમણે સુશાંતને યાદ કર્યો છે.
કૌન બનેગા કરોડપતિમાં યાદ આવ્યો સુશાંત
બચ્ચને યાદ કર્યો સુશાંત સિંહ રાજપૂતને
પહેલા જ એપિસોડમાં પૂછવામાં આવ્યો પ્રશ્ન
કૌન બનેગા કરોડપતિએ લાંબા સમયથી લોકોની પસંદગીનો શૉ છે. કોવિડ-19 ના લીધે કેબીસી કેટલાક અલગ નિયમો સાથે પ્રસારિત થઇ રહ્યો છે. જેમકે સિઝન-13માં ઓડિયન્સ પોલ લાઇફલાઇનની જગ્યાએ વીડિયો એ ફ્રેન્ડનો ઓપ્શન છે.
ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં સૌથી પહેલા જવાબ આપીને પહોંચેલી આરતી જગતાપ પહેલી કન્ટેસ્ટન્ટ બની. મધ્ય પ્રદેશથી આવેલી એન્જીનીયરિંગ સ્ટુડન્ટ આરતી 640000 જીતીને ક્વિટ કરી લીધુ હતુ. પહેલા એપિસોડમાં સ્વ.સુશાંત સિંહ રાજપૂત વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા હતા.
અમિતાભ બચ્ચને દર્શકોનુ સ્વાગત કર્યુ અને પહેલા જ એપિસોડમાં એક સશક્ત કવિતા વાંચી. જેમાં તેમણે કહ્યું કે લોકો કેવી રીતે કોરોના મહામારી સામે લડી રહ્યાં છે અને જીવતા શીખી રહ્યાં છે.
કેબીસીની પહેલી કન્ટેસ્ટન્ટ આરતીનો પહેલો પ્રશ્ન હતો કે એપનું પુરુ નામ શું છે. તેમણે સાચો જવાબ આપ્યો કે એપ્લિકેશન અને 1000 રૂપિયા જીતી લીધા. આરતીનો બીજો સવાલ સુશાંત પર હતો. જેમાં દિલ બેચારાનું ટાઇટલ ટ્રેક સંભળાવવામાં આવ્યુ અને પૂછવામાં આવ્યું કે આમાં ક્યા હિરો હિરોઇન હતા. ત્યારે સુશાંત અને સંજનાનુ નામ લઇને આરતીએ સાચો જવાબ આપ્યો.
બિગબીએ સુશાંતને યાદ કર્યો અને તે ગમગીન થઇ ગયા. અભિનેતાની મોતને તેમણે દર્દનાક ગણાવ્યું હતું. 6,40000 રૂપિયા જીતીને તેમણે શૉ છોડી દીધો હતો. બાદમાં હોટ સીટ પર સોનૂ કુમાર ગુપ્તા આવ્યા અને તેમણે 5 સવાલોના સાચા જવાબ આપ્યા છે.