વર્તમાનમાં ફિલ્મ જગતની ઘણી બધી હસ્તીઓ સુશાંત સિંહ મોત અને કંગના વિવાદમાં મૌન રહેવાના કારણે લોકોના નિશાને છે અને અમિતાભ બચ્ચન સાથે પણ સોશ્યલ મીડિયામાં કંઇક આવું જ થઇ રહ્યું છે.
અમિતાભ બચ્ચને અડધી રાતે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી કવિતા
જયા બચ્ચનના નિવેદનના કારણે અમિતાભ બચ્ચન પણ ટ્રોલ
કંગના વિવાદ પર ચુપ રહેવાના કારણે યુઝરે અમિતાભને મનમોહનસિંહ સાથે સરખાવ્યાં
બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયામાં ખૂબ એક્ટિવ રહે છે દિવસભર શૂટિંગ દરમિયાન અને રાત્રે પણ સોશ્યલ મીડિયામાં પોતાના ફેન્સ માટે પોસ્ટ કરતા રહે છે. હાલનાં દિવસોમાં અમિતાભ કોન બનેગા કરોડપતિનું શૂટિંગ કરી રહ્યા છે અને તેને લઈને સોશ્યલ મીડિયામાં ખૂબ ચર્ચા છે ત્યારે મંગળવારે મોદી રાતે બે વાગે અમિતાભે ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ કરી પણ જયા બચ્ચનના એક નિવેદન બાદ હવે બધા યુઝર્સ અમિતાભ બચ્ચનને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરી રહ્યા છે.
ગઈકાલે જયા બચ્ચને સંસદમાં બોલિવૂડનો મુદ્દો ઉછાળ્યો હતો અને કહ્યું હતું કે જે આ લોકો જે થાળીમાં ખાય છે તેમાં જ છેદ કરે છે અને અમુક લોકોના લીધે આખા ફિલ્મ જગતને બદનામ કરવામાં આવી રહ્યા છે. જયા બચ્ચનને રવિ કિશન અને કંગના રણૌતે તીખા જવાબ પણ આપ્યા હતા અને આ જ મુદ્દે હવે અમિતાભ બચ્ચન પણ સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઇ રહ્યા છે. કેટલાક લોકોએ અમિતાભ બચ્ચનને પોતાની પત્નીને સમજાવવાની સલાહ આપી દીધી ત્યાં બીજા એક યુઝરે અમિતાભ બચ્ચનને ફિલ્મ જગતના મનમોહન સિંહ ગણાવી દીધા.
અમિતાભ બચ્ચને શૂટિંગ દરમિયાન એક કવિતા શેર કરી જેને લઈને યુઝર્સ બચ્ચન પર ભડકી ઉઠ્યા અને જયા બચ્ચનને સમજાવવા સલાહો આપી.
નોંધનીય છે કે અમિતાભ બચ્ચન ટ્વિટર અને અન્ય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની અવનવી પોસ્ટના કારણે અનેકવાર ચર્ચામાં આવી જતા હોય છે, હાલમાં જ તેમણે જે ભવાની પ્રસાદ મિશ્રાથી પ્રભાવિત થઇને કવિતા પોસ્ટ કરી છે. તેમણે કવિતાના અંતે લખ્યું કે તમે તમારું કામ કરો અને અમે અમારું કામ કરીએ.
સોશ્યલ મીડિયામાં લોકોએ આ પોસ્ટમાં કહ્યું છે તમે તમારી ધર્મપત્નીને સમજાવો કે તે કોઈ સારું કામ ન કરે તો કોઈ સારા કામમાં વાંધો તો ના લાવે, એક અન્ય યુઝરે કહ્યું કે કમ્યુટર મહાશય જયાજીને લોક કરી દો. તો બીજા એક યુઝરે કહ્યું મહિનાઓની રિસર્ચ બાદ પરિણામ આવ્યું છે કે અમિતાભ બચ્ચન ખરેખર બોલિવૂડના મનમોહન સિંહ છે. નોંધનીય છે કે સુશાંત સિંહ કેસ અને કંગના વિવાદ પર અમિતાભના મૌન પર લોકો ભડકી ઉઠ્યા છે.