મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં કોરોના વાયરસનો ઈલાજ કરાવી રહેલાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર અવારનવાર તેમના ફેન્સથી તેમની જાણકારી આપતા રહે છે. આ દરમિયાન એશ્વર્યા અને આરાધ્યા કોરોના મુક્ત થઈને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં બિગ-બી ઈમોશનલ થઈ ગયા હતા.
બિગ બીએ એક ટ્વિટ કરીને કહ્યું- મારી નાની દીકરી અને વહુને હોસ્પિટલમાંથી મુક્તિ મળવા પર હું મારા આંસુ રોકી શક્યો નહીં. પ્રભુ તારી કૃપા અપાર. અપરમ્પાર. આ પહેલાં અભિષેકે પણ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે એશ્વર્યા આરાધ્યાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા છે. જ્યારે હું અને મારા પિતા હજી હોસ્પિટલમાં છીએ.
T 3607 - T 3607 - अपनी छोटी बिटिया , और बहुरानी को ,अस्पताल से मुक्ति मिलने पर ; मैं रोक ना पाया अपने आंसू 🙏
प्रभु तेरी कृपा अपार , अपरम्पार 🙏🙏
ઉલ્લેખનીય છે કે, 11 જુલાઈએ અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ 12 જુલાઈએ એશ્વર્યા આરાધ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંનેમાં બીમારીના કોઈ લક્ષમ નહોતા. જેથી તેમને ઘરે જ ક્વોરંટાઈન કરાયા હતા. પછી તબિયત બગડતા બંનેને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા.
તમને જણાવી દઈએ કે બિગ બી હાલ કોરોના સામે લડી રહ્યાં છે. તેઓ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં એડમિટ છે. તેમણે પોતે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. બિગ-બી કોરોના સંક્રમિત હોવાના સમાચાર આવતા જ તેમના ફેન્સ અને નજીકના લોકો તેમના માટે દુઆ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા દ્વારા બિગ બી તેમના ફેન્સ સાથે જોડાયેલા રહે છે અને અપડેટ આપે છે.