બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અત્યારે કોન બનેગા કરોડપતિની 13મી સિઝનમાં જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત હાલમાં બિગબિની ફિલ્મ ચેહરે પણ રિલીઝ થઈ છે, જેમાં બિગબીએ પોતાના અંદાજથી ફરીથી એક વખત લોકોનું દિલ જીતી લીધુ છે.
લ્યો બોલો, બચ્ચન પણ પાણીની અછતનો કરે છે સામનો
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં વર્ણવી પોતાની વ્યથા
'પાણીની અછતના કારણે હું સવારે છ વાગ્યે ઉઠ્યો હતો'
અભિનેતાએ બ્લોગમાં કર્યો ખુલાસો
ફિલ્મમાં અમિતાભ બચ્ચને અભિનેતા ઈમરાન હાશમી અને અભિનેત્રી ક્રિસ્ટલ ડિસુજાની સાથે મુખ્ય ભૂમિકા નિભાવી છે. આ ઉપરાંત અમિતાભ બચ્ચને પાણીની અછતનો સામનો કરવો પડ્યો હતો. આ વાતનો ખુલાસો અભિનેતાએ જાતે પોતાના બ્લોગમાં કર્યો છે.
અમિતાભ બચ્ચને પાણીની અછતનો સામનો કર્યો
અમિતાભ બચ્ચને બ્લોગમાં પોતાની મુશ્કેલી વર્ણવતા જણાવ્યું કે, પાણીની અછતના કારણે તેમણે સવારે છ વાગ્યે ઉઠી જવુ પડ્યુ હતું. જેના કારણે તેમનો આખો દિવસ ખૂબ જ ભારે ગયો હતો. બિગબીએ પોતાના બ્લોગમાં લખ્યું, પરિશ્રમ કરવો પડે છે અને બની શકે છે કે આવતીકાલ સુધી પરિણામ આવી જાય. જેનો ઉપયોગ પણ થશે. આવો જોઈએ.
મારા ઘરમાં પાણી આવવાનું બંધ થયુ: અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને બ્લોગમાં પોતાની વ્યથા વર્ણવતા લખ્યું, "આજે મોડું થયુ હતુ. શરીર પણ ખૂબ દુ:ખતુ હતું. કેબીસીની શૂટિંગ માટે જલ્દી પહોંચવાનુ હતું. એટલુ જલ્દી કે સવારે છ વાગ્યે ઉઠી જવુ પડ્યુ હતુ. જેના કારણે હું ઘરમાં પાણી ભરી શકુ. કારણકે અહીં પાણી આવવાનું બંધ થઈ ગયુ છે."
આજે મારો દિવસ ખૂબ ભારે રહ્યો: બિગબી
અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું, થોડુ બીજુ જોઈશુ અને પછી કામ માટે નિકળી પડીશું. કારણકે વેનિટીમાં તૈયાર થવાનુ છે. આજે ખૂબ મુશ્કેલીવાળો દિવસ હતો. મને માફ કરશો, મારા ઘરની બાબતો તમને કહી રહ્યો છું. પરંતુ સારું છે, કોઈ વાંધો નથી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં અમિતાભ બચ્ચન પોતાના બોડીગાર્ડને લઈને ચર્ચામાં આવ્યા હતા.