રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી નવાજ્યા છે. આ ખાસ પ્રસંગે તેમની સાથે પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન પણ હાજર હતા.
અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને આપ્યો આ એવોર્ડ
આ વિશેષ પ્રસંગે તેમણે કહ્યું- "હું ભારત સરકાર અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના સભ્યો અને જ્યુરીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે તેઓએ મને યોગ્ય માન્યો." ભગવાનના આશીર્વાદ રહ્યા છે. માતાપિતાના પણ આશીર્વાદ રહ્યા છે. ભારતના લોકો સૌથી વધુ પ્રેમાળ રહ્યા છે, જેના કારણે હું તમારી સમક્ષ ઉભો રહ્યો છું. જ્યારે આ એવોર્ડની ઘોષણા કરવામાં આવી ત્યારે મારા મનમાં એક સવાલ ઉભો થયો કે શું હવે મારા માટે એ નિશાની છે કે બસ હવે થઈ ગયું, અથવા મારે હજી વધુ કામ કરવાનું બાકી છે.
Watch LIVE as President Kovind presents Dadasaheb Phalke Award to Shri Amitabh Bachchan and hosts the winners of the National Film Awards 2018 at Rashtrapati Bhavan https://t.co/cedCpEDQTE
66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં ન રહી શક્યા હાજર
23 ડિસેમ્બરે, જ્યારે 66 માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાયો ત્યારે અમિતાભ બચ્ચન હાજર રહી શક્યા નહીં. બીમાર હોવાથી અમિતાભ બચ્ચનને ડોક્ટર દ્વારા મુસાફરી ન કરવા સૂચના આપવામાં આવી હતી. અમિતાભ બચ્ચને જાતે 22 ડિસેમ્બરની સાંજે એક ટ્વીટ દ્વારા આ માહિતી શેર કરી હતી.
અમિતાભ બચ્ચન બોલિવૂડમાં 'મેગા સ્ટાર' અને 'બિગ બી' તરીકે પણ પ્રખ્યાત
અમિતાભ બચ્ચન બોલિવૂડમાં 'મેગા સ્ટાર' અને 'બિગ બી' તરીકે પણ પ્રખ્યાત છે. નોંધપાત્ર વાત એ છે કે તેમની પ્રથમ ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' હતી, જે 1969 માં રજૂ થઈ હતી. 1973 માં, પ્રકાશ મેહરા દિગ્દર્શિત ફિલ્મ 'જંજીર' ના અમિતાભ બચ્ચને જ્યારે બોકસ ઓફિસ પર સફળતા મેળવવાની શરૂઆત કરી અને ત્યારબાદ પાછું જોયું નથી. તે લગભગ બે દાયકા સુધી હિન્દી ફિલ્મોનો સૌથી સફળ હીરો રહ્યા. એક સમય એવો પણ આવ્યો જ્યારે અમિતાભની ફિલ્મ કારકીર્દી ડામાડોળ થઇ હતી.
1969 થી ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે એવોર્ડ
ભારતમાં સિનેમાનો પાયો નાખવામાં અને આટઆટલા યોગદાનના કારણે જ દાદા સાહેબ ફાળકેને ભારતીય સિનેમાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સિનેમા ક્ષેત્રે સર્વોચ્ચ યોગદાન માટે તેમના નામ ઉપરથીજ 1969ના વર્ષથી 'દાદા સાહેબ ફાળકે એવોર્ડ 'આપવામાં આવે છે.
#WATCH: Amitabh Bachchan says,"Jab iss puruskar ki ghoshna hui to mere mann mein ek sandeh utha. Ki kya kahin ye sanket hai mere liye ki bhai sahab aapne bahut kaam kar liya, ab ghar baith ke aaram kar lijiye. Kyunki abhi bhi thoda kaam baki hai jise mujhe poora karna hai." pic.twitter.com/pdKXH2RSfr
દાદા સાહેબ ફાળકેને ભારતીય ફિલ્મ ઉધોગના પિતામહ કહેવામાં આવે છે. દાદા સાહેબનું પૂરું નામ ધૂંડીરાજ ગોવિંદ ફાળકે હતું. દાદા સાહેબનો જન્મ મહારાષ્ટ્રના નાસિક પાસે આવેલ ભગવાન શિવની નગરી એવા ત્ર્યંબકેશ્વરમાં 30, એપ્રિલ, 1870ના રોજ થયો હતો. એમના પિતા સંસ્કૃતના પ્રખર પંડિત હતા અને મુંબઈની એક કોલેજમાં અધ્યાપક હતા.
ઉલ્લેખનીય છે કે, દાદા સાહેબે કુલ 125 જેટલી ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. જેમાં 98લાંબી અને 27ટૂંકી ફિલ્મોનો સમાવેશ થાય છે. દિગ્દર્શક તરીકે તેમાંથી 41લાંબી અને 20ટૂંકી ફિલ્મો તેમણે બનાવી.