બિહારના 2100 ખેડૂતોને દેવું ચૂકવ્યા પછી અમિતાભ બચ્ચને પોતાનો વધુ એક વચન પૂરુ કર્યુ છે.
જી હા, અમિતાભ બચ્ચને મુંબઉના નિવાસ પર પુલવામા શહીદ થયેલા CRPFના જવાનોના પરિવારને આર્થિક મદદ કરે છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે તેમની દિકરી શ્વેતા બચ્ચન નંદા અને દિકરો અભિષેક બચ્ચન પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગેની જાણકારી અમિતાભ બચ્ચને પોતાના બ્લોગ પર આપી છે. અહીંયા તેમણે કેટલાક ફોટોઝ પણ શૅર કર્યા છે, જેમાં તેઓ ભાવુક દેખાઇ રહ્યા છે. અમિતાભ બચ્ચને પુલવામા શહીદોના પરિવારને બોલાવીને 5-5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી.
અમિતાભ બચ્ચને બ્લોગમાં કહ્યું હતું, 'અન્ય એક વચન પૂરું કર્યું. પુલવામા હુમલામાં જે બહાદુર જવાનોએ દેશ માટે પોતાનો જીવ આપ્યો તેમના પરિવાર તથા પત્નીઓને આર્થિક રીતે મદદ કરી..સાચા શહીદ.' વધુમાં અમિતાભે કહ્યું હતું, 'તેઓ ઉદાસ થઈને આવ્યા, તેમના ચહેરા પર જીવનની નિરર્થકતા હતી. તેમણે પોતાનાને ગુમાવ્યા છે. પતિ, ઘરનો દીકરો, કેટલીક મહિલાઓ પોતાના સંતાનો સાથે આવી, કેટલીક માતા બનવાની છે. આ તે બહાદુર જવાનોનો પરિવાર છે, જેમણે પુલવામામાં થયેલા આતંકી હુમલામાં પોતાનો જીવ આપ્યો.'
T 3193 - जो सोचा था , जो कहा था , वो आज पूरा हुआ ;
देश के रक्षक को जो देना था दिया ;
संतुष्टि न कहना इसे ,
उदाहरण बन सकें यदि हम , तो प्रफुल्लित होवे हिया
~ ab
આ સાથે જ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પણ કવિતા લખતા કહ્યુ કે, ''જે વિચાર્યું હતું, જે કહ્યું હતું, તે આજે પુરૂં થયું, દેશના રક્ષકન જે આપવુ હતુ, સંતુષ્ટિ ન કહેતા તેને, જો આપણે ઉદાહરણ બની શકીએ, તો મન પ્રફૂલ્લિત થાય છે.''
ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને ગત વર્ષે ઉત્તર પ્રદેશના એક હજાર ખેડૂતોની લોન ભરપાઈ કરી હતી.