કોરોના મહામારીમાં અત્યારે બધા જ લોકો સાવચેતી રાખી રહ્યાં છે ત્યારે કોરોના સંકડ પર મહાનાયક અમિતાભ બચ્ચને પણ નિવેદન આપ્યું છે.
અમિતાભને થયુ જવાબદારીનું ભાન
કોરોનામાં ઘર વિષે જાણવાની ઇચ્છા વ્યક્ત કરી
બિગ-બી થયા જવાબદાર
અમિતાભ બચ્ચનનું કહેવું છે કે, ઘરમાં કઇ વસ્તુ ક્યાં મુકી છે અને ઘર કેવી રીતે ચાલે છે, તે વિશે દરેકને ખ્યાલ હોવો જોઈએ. કોરોના વાઇરસને કારણે લૉકડાઉન હોવાથી બચ્ચન સાહેબ પણ ઘરમાં છે અને ઘર વિશે માહિતી મેળવી રહ્યા છે.
બિગ-બીના ઘરમાં ઘણો મોટો સ્ટાફ કામ કરી રહ્યો હતો જેથી તેમને આજ સુધી ઘર વિષે જાણકારી મેળવવાનો સમય નહોતો મળ્યો. આ વિષે બિગ બીનું કહેવું છે કે ‘અમુક સંજોગો અને પરિસ્થિતિમાં વ્યક્તિ કેટલીક બાબતો વગર ચલાવતાં શીખી જાય છે અથવા તો એનો પર્યાય શોધી કામને પૂરું કરે છે. આ કોઈ દુઃખની વાત નથી, પરંતુ દરેકની અંદર છુપાયેલી એક ક્વૉલિટી છે. આપણે કોઈ પણ ઇનોવેટિવ આઇડિયા દ્વારા આપણો રસ્તો શીધી કાઢીએ છીએ અને રસ્તામાં આવતી દરેક મુશ્કેલીનો સામનો કરીએ છીએ'.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આપણે એક રૂટીનમાં રહેવા માટે ટેવાયેલા છીએ અને એથી જ આપણી લાઇફમાં બદલાવ આવે ત્યારે આપણને તકલીફ પડે છે, કારણ કે આપણે આપણી કમ્ફર્ટેબલ લાઇફમાં એના પર્યાય વિશે વિચાર જ નથી કરતા. એવા ઘણા કામ હોય છે જે આપણે જ કરવા જોઈતા હોય છે, પરંતુ આપણે કરતા નથી. ઘરમાં ક્યાં શું મૂક્યું હોય છે અને એ કેવી રીતે ચાલે છે એ આપણે દરેકે જાણવું જોઈએ.