આજે સવારથી સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના નેગેટિવ થઇ ગયા છે તેવા અહેવાલો સામે આવ્યા બાદ અમિતાભ બચ્ચને ટ્વિટર પર સ્પષ્ટતા આપી છે. તેમણે આ અહેવાલોને બેજવાબદાર અને ખોટા ગણાવ્યા.
બચ્ચન્સનો કોરોના ટેસ્ટ નેગેટિવ હોવાના અહેવાલ સમગ્ર દેશમાં વાયરલ
બચ્ચને ટ્વિટર પર આપી સ્પષ્ટતા
આ સમાચાર ખોટા, બેજવાબદાર, બનાવટી અને અયોગ્ય છે : બચ્ચન
નોંધનીય છે કે ગુરુવારે ઘણા બધા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તે કોરોના નેગેટિવ થઇ ગયા છે. જે બાદ તેમણે હવે ટ્વિટ કરીને કહ્યું કે 'આ સમાચાર ખોટા, બેજવાબદાર, બનાવટી અને અયોગ્ય છે'
શું હતો દાવો
અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે 22 જુલાઇના રોજ બચ્ચન પરિવારનો ટેસ્ટ થયો હતો જેમાં અભિષેક બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જ્યારે એશ્વર્યા અને આરાધ્યાનો રિપોર્ટ આવવાનો બાકી છે. જે બાદ અમિતાભ બચ્ચને હવે સ્પષ્ટતા કરી છે કે કે આ અહેવાલ ખોટા છે
અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં રહીને તેમના પિતાને યાદ કરે છે અને તેમની કવિતાઓ પણ શૅર કરતા રહે છે. ત્યારે હાલમાં જ તેમણે ચિંતા અને મુશ્કેલીને લઇને પોતાના વિચાર રજૂ કર્યા હતા. તેમણે પોતાનો જ એક સ્કેચ શૅર કરીને બે લાઇન લખી હતી.
11 જુલાઇના રોજ બચ્ચન પરિવારનો એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં અમિતાભમાં હળવા લક્ષણો જોવા મળ્યા હતા. બાદમાં દીકરા અભિષેક બચ્ચન અને તેમની પુત્રવધુ એશ્વર્યાનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. બચ્ચનની પૌત્રી આરાધ્યાનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો. બચ્ચન પરિવારમાં માત્ર જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. બચ્ચન પરિવારના તમામ સભ્યોને મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.