કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી તથા સહકારીતા મંત્રી અમિત શાહ આગામી 28 અને 29 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ 29મી મેના રોજ નડિયાદ ખાતે 23454.08 લાખના ખર્ચે બનેલા 19 રહેણાંક તથા 29 બિન રહેણાંક આવાસોનું લોકાપર્ણ કરશે ત્યારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની નડિયાદની મુલાકાતના અનુસંધાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી.
જે બાદ કેન્દ્રીયમંત્રી રાજ્યના બે કેબિનેટ મંત્રી અને ગૃહમંત્રી દ્વારા નડિયાદ કમલમમાં હોદેદારો કાર્યકરો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી ના કાર્યક્રમ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે, આગામી 29 મેં ના રોજ ગૃહમંત્રી અમિત શાહનો બીજો ગુજરાત પ્રવાસ છે. જેમાં અમિત શાહ નડિયાદ હેલિપેડ ગ્રાઉન્ડમાં જનસભા સંબોધન કરશે.
આગામી કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકોને એકત્રિત કરવાનું આયોજન
આ કાર્યક્રમ અંતર્ગત આજે નડીઆદ કમલમ કાર્યાલય ખાતે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ મંત્રી મનીષા વકીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે મુખ્ય દંડક પંકજ દેસાઈ અને ગોરધનભાઈ ઝડફિયાની અધ્યક્ષતામાં ખેડા ભાજપ પ્રમુખ વિપુલ પટેલ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ નટુ સોઢા વિકાસ શાહ વિવિધ મોરચાના હોદેદારો કાર્યકરો સાથે બેઠક યોજાઇ આગામી કાર્યક્રમમાં 50 હજાર થી વધુ લોકોને એકત્રિત કરવા આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા હેલિપેડ ગ્રાઉન્ડની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું
કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે હર્ષ સંઘવી સહિતના અધિકારી રહ્યાં ઉપસ્થિત
આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં ગુજરાત વિધાનસભા દંડક પંકજભાઈ દેસાઈ, રેન્જ આઈ.જી. વી. ચંદ્રશેખર, આણંદ જિલ્લા કલેક્ટર મનોજ દક્ષિણી, ખેડા જિલ્લા ડી.ડી.ઓ. (કલેક્ટર ઈનચાર્જ) મેહુલ દવે, ખેડા આર.એ.સી. બી.એસ.પટેલ, ખેડા એસ.પી.રાજેશ ગઢીયા,આણંદ એસ.પી અજિત રાજીયણ સહિત જિલ્લાના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા હતા.