ન્યૂઝ એજન્સી ANIને આપેલ એક ઇન્ટરવ્યુમાં અમિત શાહે પહેલી વાર અદાણી મુદ્દે નિવેદન આપતા કહ્યું, ભાજપ માટે છુપાવવા કે ડરવા જેવું કંઈ નથી
અદાણી જૂથ પર વિપક્ષી પાર્ટીઓના પ્રહાર વચ્ચે અમિત શાહનું નિવેદન
પ્રથમ વાર અદાણી મુદ્દે અમિત શાહનું ચોંકાવનારું નિવેદન
ANIના ઇન્ટરવ્યુમાં શાહે કહ્યું, ભાજપ માટે છુપાવવા કે ડરવા જેવું કંઈ નથી
હિંડનબર્ગ રિપોર્ટ બાદ અદાણી જૂથ પર વિપક્ષી પાર્ટીઓ સતત મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે. ખાસ કરીને કોંગ્રેસ આ મુદ્દે સરકાર પર નિશાન સાધવાની કોઈ તક છોડી રહી નથી. કોંગ્રેસના આરોપો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રતિક્રિયા સામે આવી છે. ન્યૂઝ એજન્સી ANIને આપેલ એક ઇન્ટરવ્યુમાં અમિત શાહે પહેલી વાર અદાણી મુદ્દે નિવેદન આપ્યું છે.
ન્યૂઝ એજન્સી ANIને આપેલા ઈન્ટરવ્યુમાં અમિત શાહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી છે, તેથી મારા માટે તેના પર ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં, પરંતુ ભાજપ માટે છુપાવવા કે ડરવા જેવું કંઈ નથી. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી છે. એક મંત્રી તરીકે મારા માટે આના પર બોલવું યોગ્ય નથી, પરંતુ ભાજપ માટે છુપાવવા કે ડરવા જેવું કંઈ નથી.
#WATCH | There is nothing to hide or be afraid of: Union Home Minister Amit Shah in an interview to ANI on Congress’s allegations that Adani being ‘favoured’ by BJP#AmitShahtoANIpic.twitter.com/WXyEAd0524
રાહુલ ગાંધીના આરોપોને લઈ શું કહ્યું ?
હાલમાં જ સંસદના બજેટ સત્ર દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ અંગે તેમણે પીએમ મોદી પર ઘણા આરોપો પણ લગાવ્યા હતા. રાહુલના આરોપોનો અમિત શાહે પણ જવાબ આપ્યો છે. શાહે કહ્યું, કોંગ્રેસના નેતા અથવા તેમના સ્ક્રિપ્ટ રાઇટર નક્કી કરે છે કે, તેઓ કયું ભાષણ આપવા માંગે છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, તે જે ભાષણ આપવા માંગે છે તે તેમના અથવા તેમના ભાષણ લેખકો માટે વિચારવું જોઈએ.
There is nothing to hide or be afraid of: Union Home Minister Amit Shah on Congress’s allegations that Adani being ‘favoured’ by BJP#AmitShahtoANIpic.twitter.com/YsKOD41yY6
આ સાથે અમિત શાહેરાહુલ ગાંધીના ભાજપ પર 'ક્રોની કેપિટલિઝમ'ના આરોપનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, કોઈ પ્રશ્ન જ નથી. આજ સુધી કોઈ ભાજપ પર આ પ્રકારના આરોપો લગાવી શક્યું નથી. CAG હોય કે CBI કોંગ્રેસના શાસનકાળમાં તેમણે ભ્રષ્ટાચારની નોંધ લીધી અને કેસ નોંધ્યા. તે દરમિયાન 12 લાખ કરોડો રૂપિયાના કૌભાંડો થયા હતા.