કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ હાલ ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. તેમણે એવો દાવો કર્યો કે છે કે ઉત્તરપ્રદેશમાં ભાજપની પ્રચંડ જીત થશે અને વિપક્ષને કરારી હાર મળવાની છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ યુપીના પ્રવાસે
વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
ચૂંટણીમાં ભાજપની થશે પ્રચંડ જીત : અમિતશાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ હાલમાં ચૂંટણીને અનુલક્ષીને ઉત્તરપ્રદેશ ગયા છે. જ્યા તેમણે વિપક્ષ પર બરાબરના પ્રહાર કર્યા છે. તેમણે એવો દાવો કર્યો છે કે આવતા વર્ષે ઉત્તરપ્રદેશમાં જે ચૂંટણી થવાની છે તે ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત થશે અને વિપક્ષની કરારી હાર થવાની છે. જેથી વિપક્ષ હારવા માટે તૈયાર રહે.
યોગી સરકારની મહેનતના વખાણ
કેન્દ્રીય ગૃહમંત્રીએ ઉત્તરપ્રદેશમાં ઘણી યોજનાઓને અમલમાં મુકી છે. યોગી સરકારના વખાણ કરતા તેમણે કહ્યું કે કોરોનાકાળમાં પણ યોગી સરકારે ઘણી સારી કામગીરી કરી છે. સાથેજ તેમંણે કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની મહેનત, પરિશ્રમથી જે પણ કાર્યો છે. તેના કારણે ઉત્તરપ્રદેશ હાલમાં લગભગ કોરોના મુક્ત થઈ ગયો છે.
ખુ્લ્લેઆમ ગુંડારાજનો ઉલ્લેખ
વધુંમાં તેમણે કહ્યું કે પહેલા ઉત્તરપ્રદેશમાં ખુલેઆમ ગુંડારાજ હતું. પરંતુ હાલ કોઈ પણ માફિયા સક્રિય નથી. સાથેજ તેમણે કહ્યું કે રાજ્યમાં મહિલાઓ હાલ સુરક્ષીત રીતે ફરી શકે છે. જે ભાજપ સરકારને કારણે શક્ય બન્યું છે.
3.5 લાખ કરોડથી વધુંના વિકાસના કામો
અમિત શાહ સમગ્ર મામલે એવું પણ બોલ્યા કે આજે ઉત્તરપ્રદેશ મેક ઈન ઈન્ડિયા માટે પહેલી પસંદ બની રહ્યો છે. સાથેજ તેમણે કહ્યું કે યોગી સરકાર દ્વારા 3.5 લાખ કરોડથી વધારેનું રોકાણ ઉત્તરપ્રદેશની જમીન પર લાવવામાં આવ્યું છે.
વડાપ્રધાન મોદી ઉત્તરપ્રદેશના સાંસદ
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી ઉત્તરપ્રદેશથી સાંસદ બનીને દેશની સંસદમાં જાય છે. તેઓ જાણે છે કે ઉત્તપ્રદેશના લોકો શું આશા રાખે છે. સાથેજ તેઓ એ પણ જાણે છે કે ઉત્તરપ્રદેશને શેની જરૂર છે. જેથી ઉત્તરપ્રદેશને આગળ વધારવા તેમના દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અમિતશાહે વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર