અમિત શાહે લોકાર્પણના કાર્યક્રમમાં કહ્યું કે 100 ટકા રસીકરણ ત્યારે જ થશે જ્યારે નાગરિકોનો સાથ મળશે
ભાજપના કાર્યકર્તાઓએ ગરીબોની ભૂખ ભાંગવાનું કામ કર્યુ: શાહ
ભારતના તમામ ગરીબોના ઘરે અનાજ પહોચાડવાનું કામ PMએ કર્યુ
દુનિયાભરના દેશોના અર્થતંત્રમાં મંદી જોવા મળી પણ ભારત ઝડપથી બેઠું થયું
ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહે અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલ ચાર રસ્તાથી હેબતપુરને જોડતા રસ્તા ઉપર ફોરલેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું.
23માં રેલ્વે ઓવરબ્રિજની ભેટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિર્મિત આ રેલવે ઓવરબ્રિજ કાર્યરત થવાથી સોલાથી હેબતપુર વિસ્તારમાં આવાગમન સરળ બન્યું છે અને રેલવે ફાટકને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થયું છે. પરિવહન માર્ગોને ફાટક મુક્ત કરવાની રાજ્ય સરકારની નેમ છે ત્યારે અમદાવાદ શહેરને તેના આ ત્રેવીસમા રેલવે ઓવરબ્રિજની અમિત શાહના હસ્તે ભેટ મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા નિર્મિત 22 રેલવે ઓવરબ્રિજ કાર્યરત છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShahજી ના વરદ હસ્તે અમદાવાદમાં સોલા સિમ્સ હોસ્પિટલથી હેબતપુરને જોડતા રસ્તા ઉપર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ રેલવે ઓવરબ્રિજ કાર્યરત થવાથી સદરહુ વિસ્તારમાં આવાગમન સરળ બનશે. pic.twitter.com/AHolbE5yLZ
કેન્દ્રીય અમિત શાહે શું કહ્યું?
આજે 122 કરોડના કામોનુ લોકાર્પણ અને 241 કરોડના કામોનુ ખાતમુર્હત કર્યા બાદ અમિત શાહે સંબોધનમાં કહ્યું હતું કે કોરોના કાળમાં પણ રાજ્ય સરકાર કાર્યરત રહી છે જેથી કામોની ગતિ અટકી નથી. આજે અનેક વિવિધ કામોના લોકાર્પણ થયા છે. ગાંધીનગર આજે વિકસિત જિલ્લો બન્યો છે. આ વિકાસની ગતિ કારણે હું સાંસદ તરીકે ખુશી વ્યક્ત કરું છું. થલતેજમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી. સાથે કેન્દ્ર સરકારના કામકાજને યાદ કરતાં કહ્યું હતું કે PMની નેતાગીરીમાં અનેક નવી નીતિઓ બનાવી, અનેક નીતિઓમાં સુધારા કર્યા, આરોગ્યની તમામ બાબતોમાં ભારત આત્મનિર્ભર બન્યુ જેથી ભારતમાં ખુબ ઝડપી રીતે અર્થતંત્ર ફરી ઉભુ થઇ ગયું છે.
Live: CM attends foundation laying/dedication of various development works of AMC & AUDA by Union HM Shri @AmitShahhttps://t.co/wjG6aiUTF6
લોકાર્પણ સમયે કોણ કોણ હતું હાજર
આ અવસરે મંત્રી ઋષિકેશ પટેલ, મંત્રી જગદીશ વિશ્વકર્મા, ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજા, અરવિંદ પટેલ, અમદાવાદ શહેરના મેયર કિરીટ પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન હિતેશ બારોટ ઉપસ્થિત રહ્યા હતા.
ઉમિયાધામ: મને પણ એક ઈંટ મુકવાનો મોકો મળ્યો : અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ ખાતે ઉમિયા મંધિરના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે અમિત શાહે જાહેર સભાને સંબંધિત કરતા કહ્યું હતું કે માં ઉમિયાના ધામના શિલાન્યાસ પ્રસંગમાં મને પણ એક ઈંટ મુકવાનો મોકો મળ્યો છે, રાજ્યના વિકાસમાં પાટીદારોનું યોગદાન અનેરૂ છે, અમિત શાહે ઉંઝાના ઉમિયાધામ અંગે વાત કરતા કહ્યું કે શ્રદ્ધાનું કેન્દ્ર બનેલું ઊંઝાનું ઉમિયા મંદિર વિશ્વ વિખ્યાત બન્યું. અમિત શાહે અમદાવાદમાં આકાર લઈ રહેલા ઉમિયાધાન વિશે વાત કરતા જણાવ્યું કે ઉમિયાધામમાં માત્ર 1 રૂપિયામાં રહી શકે તેવી વ્યવસ્થા કરાશે, 1500 કરોડના ખર્ચે બની રહેલા ઉમિયાધામ દરેક સમાજના દીકરા દીકરીઓ માટે લાભદાયક રહેશે.