2002ના રમખાણને લઈ અમિત શાહનું મોટું નિવેદન; '2002માં એવો પાઠ ભણાવ્યો કે રમખાણનું નામ લેવાનું પણ ભૂલી ગયા'
2002ના રમખાણને લઈ અમિત શાહનું મોટું નિવેદન
"એવો પાઠ ભણાવ્યો રમખાણનું નામ લેવાનું પણ ભૂલી ગયા"
"કડક પગલા ભરીને ગુજરાતમાં અખંડ શાંતિ સ્થાપી છે"
હાલ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ કરીને જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે ખેડામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. અમિત શાહે મહુધા શહેરમાં રેલીને સંબોધતા ક્હ્યું કે, 2002થી 2022 સુધી નામ ન લીધુ. તેમણે રહ્યું કે, ગુજરાતમાં કોમી હુલ્લડો કરવાવાળા પર ભાજપની સરકારે કડક પગલા ભરીને ગુજરાતમાં અખંડ શાંતિ સ્થાપી છે
કોમી હુલ્લડો પર અમિત શાહનું મોટું નિવેદન
અમિત શાહે સભાને સંબોધતા જણાવ્યું કે, ક્યાંય કરફ્યું ન નાખવો પડે એવું કોઈ રાજ્ય બન્યું હોય તો મારૂ અને તમારૂ ગુજરાત બન્યું છે. તેમણે કહ્યું કે, 2002માં કોંગ્રેસીઆઓ આદત પાડી હતી એટલે રમખાણ થયા હતા 2002માં એવો પાઠ શીખવાડ્યો કે, ખોડ ભૂલી ગયા કે, 2002થી 2022 સુધી નામ ન લીધુ. તેમણે રહ્યું કે, ગુજરાતમાં કોમી હુલ્લડો કરવાવાળા પર ભાજપની સરકારે કડક પગલા ભરીને ગુજરાતમાં અખંડ શાંતિ સ્થાપી છે. તેમણે કહ્યું કે, ગુજરાતની અંદર દરેક પ્રકારનું વિકાસ થયું છે.
વાગરામાં પણ કોમી હુલ્લડો પર આપ્યું હતું નિવેદન
તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસે અનેક વર્ષ સુધી અહીં રાજ કર્યો પરંતું પોતાના ખીસ્સા ભરવા સિવાય કંઈજ કામ કર્યું નથી તેમણે કહ્યું કે, હું ગુજરાતમાં મોટું થયું છે મારા વતન માણસામાં તો એવી કહેવત છે કે, ભષ્ટ્રાચાર એટલે કોંગ્રેસ અને કોંગ્રેસ એટલે ભષ્ટ્રાચાર, ગમે તેટલા રૂપિયા આવે પરંતું કોંગ્રેસ નામનો દરવાજા ખાઈ જતો તેમણે કહ્યું કે, પહેલા અહીં રમખાણા, તોફાના થતાં એટલે વિકાસ જ ન થયો. તેમણે કહ્યું કે, 2002માં એમણે છમકલું કરવાની કોશિષ કરી હતી પરંતું એવો પાઠ ભણાવ્યો કે, ફરી છમકલો કરવાની એમની હિંમત જ ન થઈ. તેમણે કહ્યું કે, પહેલા વીજળી ના ફાંફા હતા અંધારામાં જમવું પડતું હતું પરંતુ ભાજપે 24 કલાક વીજળી પહોંચાડવાનું કામ કર્યું છે તેમણે કહ્યું કે, ગામડાને જોમવંતા અને જુસ્સાવાળા બનાવવાનું કામ ભાજપે કર્યું છે.
નહેરૂની ભૂલને બાળકની જેમ કોંગ્રેસ રમાડતી હતી: અમિત શાહ
તેમણે વાગારાનીમાં કહ્યું કે, એમણે ગરીબને હટાવ્યા અને અમે ગરીબોનું જીવન ધોરણ સુધાર્યો છે તેમણે કહ્યું કે, કોરોનામાં મફત રસી આપી આપની સુરક્ષાની ચિંતા કરી છે પરંતુ તેમાં કોંગ્રેસના લોકો રાજકારણ કરતા હતા અને રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, કોઈ રસી ના મુકવાતા મોદી ટીકો છે પરંતુ તેમનો દેશમાં કોઈ સાંભળતું નથી અને બધા જ લોકોએ મુકાવી આવ્યા પછી રાહુલ પણ એક દિવસ અંધારામાં જઈ રસી મુકાવી આવ્યાં તેમણે કહ્યું કે, ભાજપે 370 કલમ હટાવવાનું કામ કર્યું છે, આ નહેરૂની ભૂલને બાળકની જેમ કોંગ્રેસ રમાડતી હતી તેમણે જણાવ્યું કે, આપણી અર્થવ્યવસ્થા પહેલા આઠમાં નંબરે હતી અને હવે પાંચમાં નંબરે છે આ કામ PM મોદીએ કર્યું છે.