13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ એમ ત્રણ દિવસ સુધી સરકારનું હર ઘર તિરંગા અભિયાન શરુ થવાનું છે અને તેને લઈને સરકારે અત્યારથી તૈયારી શરુ કરી દીધી છે.
13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન
દેશના 100 કરોડ લોકો પોતાના ઘરો પર લહેરાવશે તિરંગો
ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રીઓ સાથે કરી મોટી બેઠક
15 ઓગસ્ટે ભારતની આઝાદીને 75 વર્ષ પુરા થવાના છે અને આવા રુડા પ્રસંગે લોકોમાં દેશભક્તિની ભાવનાનો સંચાર કરવા માટે મોદી સરકારે દેશવ્યાપી હર ઘર તિરંગા અભિયાન શરુ કર્યું છે. આમાં લોકોએ પોતપોતાના ઘરો પર તિરંગો લહેરાવીને દેશભક્તિનો પરિચય આપશે.આ સંદર્ભમાં સરકારે અત્યારથી તૈયારીની સમિક્ષા કરવાનું તથા રાજ્યોને જરુરી નિર્દેશ આપવાનું શરુ કર્યું છે.
Main objective of the program is to hoist the national flag in all households from 13 to 15 August through public participation. Govt & private establishments will also be involved in this effort. Over 100 crore people will hoist the Tricolour at their homes for three days: MHA
આ સંદર્ભમાં ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રીઓ અને ઉપરાજ્યપાલો સાથે વીડિયો કોન્ફરન્સીંગ કરીને 'હર ઘર તિરંગા અભિયાનની સમિક્ષા કરી હતી. અમિત શાહનો ઉદ્દેશ લોકોને તેમના ઘરો પર તિરંગો લહેરાવવા પ્રોત્સાહિત કરવાનો છે.
Union Home Minister Amit Shah interacted with CMs, LGs and administrators of states and union territories through video conferencing today regarding 'Har Ghar Tiranga' campaign under 'Azadi Ka Amrit Mahotsav': Ministry of Home Affairs pic.twitter.com/qoeP149jNb
અમિત શાહની બેઠકનો ઉદ્દેશ 13થી 15 ઓગસ્ટ સુધી જન ભાગીદારી દ્વારા દેશના તમામ ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો છે. તેમાં સરકારી અને ખાનગી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયનું કહેવું છે કે 100 કરોડથી વધુ લોકો ત્રણ દિવસ સુધી પોતાના ઘરે તિરંગો લહેરાવશે.
PM Narendra Modi has announced a nationwide unique campaign in the form of 'Har Ghar Tiranga' program to boost a sense of patriotism among countrymen. pic.twitter.com/joTKqAM8Ir
75મો આઝાદી દિવસ ઉજવાશે
15 ઓગસ્ટ 2022ના દિવસે ભારતની આઝાદીને 75 વર્ષ પૂરા થશે અને આ અવસરે કેન્દ્ર સરકારે લોકોમાં દેશભક્તિની ભાવનાનો સંચાર કરવા માટે હર ઘર તિરંગા અભિયાન શરુ કર્યું છે. આ અભિયાનમાં લોકો પોતપોતાના ઘરો પર તિરંગો ફરકાવશે.