અમદાવાદની મુલાકાતે આવેલા દેશના ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજ્યા બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.
અમદાવાદની મુલાકાતે આવેલ અમિત શાહનું મોટું નિવેદન
ગાંધીનગર ખાતે આકાર પામશે 1200 બેડની હોસ્પિટલ
તમામ ખર્ચ ઉઠાવશે ટાટા ટ્રસ્ટ
અમિત શાહે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને આજે CM,DyCM અને રાજ્ય સરકારના અધિકારીઓની હાજરીમાં રાજ્યની પરીસ્થિતિ અંગે ચર્ચા થઇ, ઓક્સિજન બેડની બાબતમાં ગુજરાત આગળ છે.
Dhanvantari Covid Hospital will be functional from tomorrow with 950 beds, 250 ICU beds. Gujarat has more ICU beds in comparison to other states. 1,200 bedded hospital, incl 600 ICU beds, to be made in association with Tata Trust Gandhinagar: Union Home Min Amit Shah in Ahmedabad pic.twitter.com/UnFIgbAvyR
તો આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓને બેડને લઈને કોઇ તકલીફ ન થાય તે માટે ગાંધીનગર ખાતે ટાટાના સહયોગથી 1200 બેડની હોસ્પિટલ આવનારા સમયમાં તૈયાર કરવામાં આવશે. આ કોવિડ હોસ્પિટલ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરાશે. જેનો તમામ ખર્ચ ટાટા ટ્રસ્ટ ઉઠાવશે.
ડોક્ટરોને કરી આવી અપીલ
આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ટેલિફોનિક ગાઈડન્સ માટે નવા ટોલફ્રી નંબરની શરૂઆત કરવામાં આવશે. જેમાં 50 જેટલા ડોક્ટર ઓન ફોન સેવા આપશે. તો આ સાથે જ કહ્યું હતું કે, હું ડૉક્ટરોને અપીલ કરવા માંગુ છું કે, ખાસ કરીને રેમડેસિવિર ત્યારે જ આપો જ્યારે તેની જરૂર હોય.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં પ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે સ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા DRDOના સહયોગથી અમદાવાદ ખાતે 900 બેડની હોસ્પિટલ તાબડતોબ તૈયાર કરવામાં આવી છે. જેની મુલાકાત લીધા બાદ અમિત શાહની અધ્યક્ષતામાં હોસ્પિટલમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સમીક્ષા બેઠક યોજી હતી.
રાજ્યમાં કોરોનાની સ્થિતિ મુદ્દે યોજી હાઇલેવલ બેઠક
આ બેઠકમાં ગુજરાતમાં કોરોનાના કેસની સ્થિતિ, સારવાર, ઓક્સિજન, દવા અને હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ માટે બેડની સ્થિતિ જેવા અનેકવિધ મુદ્દાઓ પર આ બેઠકમાં મંથન કરવામાં આવેલ.
કેવી છે 900 બેડની હોસ્પિટલ?
અમદાવાદમાં યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં યુદ્ધના ધોરણે 900 બેડની સુવિધા સાથે સજ્જ કોવિડ કેર હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે. અહીં કુલ 1400 બેડની ક્ષમતા વાળી હોસ્પિટલ તૈયાર થશે. 750 ઓક્સિજન બેડની સુવિધા સાથે આ હોસ્પિટલમાં 150 બેડનું ICU પણ તૈયાર કરાયું છે. તો જરૂર અનુસાર વધુ 500 બેડ વધારી શકાય તેવી વ્યવસ્થા પણ હશે. આ કોવિડ હોસ્પિટલનું ઉદ્ઘાટન આજે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદઘાટન કરાશે. ગૃહ મંત્રાલય તબીબોની ટીમ પણ મોકલશે.
DRDO દ્વારા બનેલી દેશની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ
અમદાવાદની આ હોસ્પિટલ DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપેન્ટ ઓર્ગોનાઇઝેશન) દ્વારા બનેલી દેશની સૌથી મોટી કોવિડ હોસ્પિટલ હશે. રાત-દિવસ જોયા વિના યુદ્ધના ધોરણે હોસ્પિટલ બનાવવાની કામગીરી કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં તબક્કાવાર દર્દીઓને દાખલ કરવામાં આવશે.
DRDO, આરોગ્ય વિભાગ અને યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસથી બનાવાઇ હોસ્પિટલ
DRDO ઉપરાંત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસથી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. આ હોસ્પિટલનું સંચાલન DRDO અને રાજ્યનું આરોગ્ય વિભાગ કરશે. તો ગુજરાત યુનિવર્સિટી સાથે રહીને કામ કરશે.
દર્દીના બેડ પર ઑક્સિજનની સુવિધા
દર્દીઓના બેડ પર જ ઓક્સિજન પાઇપલાઇન લગાવવામાં આવી છે. આ માટે 35,000 લિટર ઓક્સિજન ક્ષમતા વાળી ટાંકી લગાવવામાં આવી છે. તો તકેદારીના ભાગરૂપે અન્ય એક 25 હજાર લિટર ક્ષમતા ધરાવતી ઓક્સિજનની ટાંકી પણ લગાવવામાં આવી છે, જેથી દર્દીને યોગ્ય સારવાર મળી રહે.
600 જેટલા કર્મચારીઓ 3 અલગ અલગ શિફ્ટમાં કામ કરશે
તો આ હોસ્પિટલમાં DRDOના 10 ડૉક્ટરોની ટીમ પણ આવી પહોંચી છે. હાલ કેમ્પસમાં ઇન્ટરવ્યૂ પ્રક્રિયા ચાલી રહી છે. ઇન્ટરવ્યુ થયેલ મેડિકલ સ્ટાફનો સ્થળ મુલાકાત કરાવીને ઓરિએન્ટેશનની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ભરતી થયલે સ્ટાફને તાલિમ આપવામાં આવશે. સમગ્ર હોસ્પિટલના સંચાલન માટે અંદાજે કુલ 600 જેટલા કર્મચારીઓ 3 અલગ અલગ શિફ્ટમાં કામ કરશે. આ હોસ્પિટલને આર્મી, BSF, CISFના તજજ્ઞ ડોકટર અને પેરા મેડિકલ સ્ટાફ સહિત 150 આરોગ્યકર્મીનો સ્ટાફ ડિફેન્સમાંથી મળવાનો છે.