અમિત શાહ કોરોના સામેના યુદ્ધમાં જીતીને હેમખેમ બહાર આવી ગયા છે. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જે બાબતની જાણકારી તેમણે ટ્વિટર પર શેર હતી, સાથે જ તેમનો ઉપચાર કરવા વાળા તમામ ડોક્ટર્સ અને પેરમેડિકલ સ્ટાફનો પણ આભાર માન્યો હતો.
ગૃહમંત્રી શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ
ટ્વીટ કરીને આપી જાણકારી
ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફનો આભાર માન્યો
અમુક દિવસો પહેલા દેશના ગૃહમંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ પોજીટીવ આવ્યો હતો, જેને લઈને તેમના સમર્થકોમાં ભારે ચિંતાની લાગણી ફેલાઈ હતી. જો કે થોડા દિવસો પહેલા જ અમિત શાહના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાની અફવા ફેલાઈ હતી, જેને ગૃહ મંત્રાલય દ્વારા નકારવામાં આવી હતી, પણ આજે તેમણે પોતે ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપી હતી.
आज मेरी कोरोना टेस्ट रिपोर्ट नेगेटिव आई है।
मैं ईश्वर का धन्यवाद करता हूँ और इस समय जिन लोगों ने मेरे स्वास्थ्यलाभ के लिए शुभकामनाएं देकर मेरा और मेरे परिजनों को ढाढस बंधाया उन सभी का ह्रदय से आभार व्यक्त करता हूँ।
डॉक्टर्स की सलाह पर अभी कुछ और दिनों तक होम आइसोलेशन में रहूँगा।
દિલ્હીમાં કોરોનાના સતત વધતાં કેસો વચ્ચે અમિત શાહે પોતે કોરોના સામેની લડતની કમાન સંભાળી હતી. તેમણે પોતે દિલ્હીમાં ટેસ્ટિંગ વધારવા પર બહાર મૂક્યો હતો અને તે માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી અને અન્ય તમામ ઉચ્છાધિકારીઓ સાથે સિલસિલેવાર બેઠકો યોજી હતી. આ જ ઘટનાક્રમમાં તેઓ સંક્રમિત થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જેં બાદ તેમનો રિપોર્ટ પોજીટીવ આવતા મેદાન્તામાં ભરતી કરાયા હતા.
कोरोना संक्रमण से लड़ने में मेरी मदद करने वाले और मेरा उपचार करने वाले मेदांता अस्पताल के सभी डॉक्टर्स व पैरामेडिकल स्टाफ का भी आभार व्यक्त करता हूँ। @medanta
મેદાન્તા હોસ્પિટલમાં ભરતી શાહનોન કોરોના રિપોર્ટ આજે નેગેટિવ આવતા તેમણે ટ્વિટર પર જાણકારી આપી હતી અને તેમનો ઈલાજ કરવા વાળ તમામ મેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો.
અગાઉ પણ નેગેટિવની અફવા હતી
લગભગ પાંચ દિવસ અગાઉ પણ શાહનો રિપોર્ટ નેગેટિવ આવ્યાની અફવા ફેલાઈ હતી, જેને ગૃહ મંત્રાલય દ્વારા ખોટી ગણાવાઈ હતી.