અમદાવાદમાં એક બાદ એક રાજકીય દિગ્ગજોનું આગમન થઇ રહ્યું છે. જે જોતા લાગી રહ્યું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીકમાં જ છે. કેન્દ્રીય ગૃહમંત્રી હમણા થોડા દિવસ પહેલા જ ગુજરાતની મુલાકાત લઇને ગયા ત્યાર બાદ ફરી એકવાર તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 15 દિવસમાં જ બીજીવાર શાહનો ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 એપ્રિલે શાહ ગુજરાતના પ્રવાસ આવશે.
ગુજકોમાસોલ ભવનનું કરશે ઉદ્ઘાટન
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ 10 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ગાંધીનગર ખાતે નવનિર્મિત ગુજકોમાસોલ ભવનનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ ગુજકોમસોલ સાથે અમિત શાહ બેઠક યોજશે. આ વખતે બે દિવસ ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ 10 અને 11 તારીખે ગાંધીનગર અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.
26મી માર્ચે આવ્યા હતા અમદાવાદ
26મી માર્ચે અમદાવાદ આવશે સાયન્સ સિટી,ગોતા અને થલતેજમાં 306 કરોડ રૂપિયાના 900 આવાસોનું લોકાર્પણ કર્યુ હતું. તેમજ આયુષમાન થીમ પર બનાવતા ગાર્ડનનું ખાતમુર્હૂત કર્યુ હતું. 150 કરોડના ખર્ચે આકાર પામેલા બ્રિજ સહિત 20 કરોડના ખર્ચે અમદાવાદ નારણપુરામા આકાર પામેલા વૉટર ડિસ્ટીબ્યુશન સેન્ટર ખુલ્લું મુક્યુ હતું. ગોતા અને થલતેજમાં 20 કરોડના ખર્ચે આકાર પામેલા પ્રધાનમંત્રી આવાસનું લોકપર્ણ કર્યુ હતું.
કલોલમાં વિકાસના કાર્યોનું લોકાર્પણ
કલોલ નગરપાલિકાના ઉપક્રમે બીવીએમ ફાટક પરના ઓવરબ્રિજ અને સરદાર બાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું,.મોટી ભોંયણ ખાતે સવારે વિવિધ કાર્યોના ઇ ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના કર્મીઓને કેન્સરની વહેલી તપાસ - નિદાન માટેના તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના સહયોગથી કેન્સર રોગ લોકજાગૃતિ અંગેની તાલીમ માટેના કાર્યક્રમનો શુભારંભ તેમજ વિવિધ કાર્યોના ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ સાથે જ તેમણે મોટી ભોયણ ખાતે પ્રાથમિક શાળા નં 1માં આરોગ્ય કર્મચારીઓના આરોગ્યની તપાસ કાર્યક્રમના સબ સેન્ટરની મુલાકાત લીધી.