ચૂંટણીની તૈયારીઓની તપાસની સાથે સાથે 2 મંદિરોમાં પૂજા અને સાથે જ TMC નેતા સુવેંદુ અધિકારીના ભાજપમાં સામેલ થવાને લઈને પણ વાતચીત થશે. આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખેડૂતના ઘરે ભોજન કરશે તેમ પણ કહેવાયું છે.
અમિત શાહ પહોંચશે બંગાળના 2 દિવસના પ્રવાસે
ખેડૂતના ઘરે ભોજન સહિત આવો છે કાર્યક્રમ
સુવેંદુ અધિકારીના ભાજપમાં સામેલ થવાને અટકળો તેજ
પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભા ચૂંટણીને લઈને સત્તાધારી તૃણમૂળ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના રૂપ આક્રમક જોવા મળી રહ્યા છે. ચૂંટણીની તૈયારીઓની તપાસની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાતે બંગાળના 2 દિવસીય પ્રવાસ માટે પહોંચશે. પહેલા દિવસે બપોરે તેઓ પૂર્વી મિદનાપુરમાં એક ખેડૂતના ઘરે બપોરનું ભોજન કરશે અને સાથે ખેડૂતોને સાધવાની કોશિશ કરશે. તો અન્ય તરફ તૃણમૂળ કોંગ્રેસના કદાવર નેતા સુવેંદુ અધિકારી પણ ભાજપમાં સામેલ થઈ શકે છે.
ખેડૂતના ઘરે ભોજન કરીને દેશભરમાં સંદેશ આપવાની કોશિશ
દેશમાં ખેડૂત આંદોલનને લઈને 3 કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે મિદનાપુરમાં એક ખેડૂતના ઘરે ભોજન કરીને ખેડૂતોને સાધવાનો પ્રયાસ અમિત શાહ કરશે. આ વર્ષે નવેમ્બરમાં પણ તેઓએ એક આદિવાસીના ઘરે ભોજનને પોતાના કાર્યક્મમાં પ્રાથમિકતા આપી હતી.
પાર્ટીમાં સામેલ થઈ શકે છે સુવેંદુ અધિકારી
સુવેંદુ અધિકારી નંદીગ્રામ સીટથી વિધાયક છે. અધિકારીએ ગયા મહિને નારાજગીના કારણે તૃણમૂળ કોંગ્રેસ કેબિનેટથી રાજીનામું આપ્યું છે. બુધવારે તેઓએ ટીએમસીથી પણ રાજીનામું આપી દીધું છે. રાજ્ય ભાજપાના એક વરિષ્ઠ નેતાના અધિકારીએ પાર્ટીમાં તેમના સામેલ થવાની અટકળોને સાચી ગણાવી છે. તેઓએ તો કહ્યું કે પબ્લિકની વચ્ચે અધિકારીના હાથમાં પાર્ટીનો ઝંડો તો બંગાળ ભાજપના અધ્યક્ષ દિલિપ ઘોષ આપશે. પછી તેઓ વરિષ્ઠ નેતાની ઔપચારિકતા કરશે. ભાજપના અન્ય એક નેતાએ કહ્યું કે સુવેંદુ અધિકારીની નારાજગીનું કારણ રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી અને ચૂંટણીના રણનીતીકાર પ્રશાંત કિશોર છે.
આવો રહેશે અમિત શાહનો કાર્યક્રમ
ગૃહમંત્રી પ્રવાસના પહેલા દિવસે કાર્યક્રમ અનુસાર મિદનાપુરના એક ખેડૂતના ઘરે બપોરનું ભોજન કર્યા બાદ રામકૃષ્ણ મિશન અને કાળી મંદિરના દર્શન કરવા જશે. રેલીની સાથે કાર્યક્રમમાં સ્વતંત્રતા સેનાની ખુદીરામ બોસને માળા પહેરાવવાનું પણ સામેલ છે. બીજા દિવસે બોલપુર જિલ્લાના એક લોકસંગીતકારના ઘરે જમ્યા બાદ વિશ્વભારતી યુનિવર્સિટીની મુલાકાત લેશે. આ પછી રોડ શો કરશે અને સાંજે એક પ્રેસ કોન્ફરન્સ બાદ દિલ્હી પરત ફરશે.