બનાસકાંઠ-પાલનપુરથી ડિસા વચ્ચે ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું 7 ઓગસ્ટે ગૃહમંત્રી અમિત શાહના માધ્યમથી કરાશે ઇ-લોકાર્પણ, 194.25 કરોડના ખર્ચે તૈયાર થયો છે એલિવેટેડ બ્રિજ
ગુજરાતને મળશે વધુ એક બ્રિજની ભેટ
અમિત શાહ કરશે ઈ-લોકાર્પણ
194.25 કરોડના ખર્ચે નિર્માણ
બનાસકાંઠાના ડીસામાં દેશના બીજા અને ગુજરાતના સૌથી મોટા એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ કરાયું હતું. 194 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ચ્યુલી લોકાર્પણ કર્યું હતું. આ બ્રિજ બન્યો તે પહેલા બનાસકાંઠાના વેપારી મથક માનવામાં આવતા ડીસામાં ટ્રાફિકનો પ્રશ્ન ખુબ જ હતો. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન આ સમસ્યાને બ્રિજ બનાવવાની માંગને પગલે ડીસાના નગરજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો હતો.
જેને પગલે તત્કાલિન સાંસદ હરિભાઇ ચૌધરી અને ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ ડીસાના નગરજનોને બ્રિજ બનાવવાનું વચન આપ્યું હતું. બાદમાં કેન્દ્ર સરકારે 222 કરોડ ફાળવણી બ્રિજ બનાવવાનું કામ શરૂ કરાયું હતું..અને બે વર્ષ કામ ચાલ્યા બાદ આજે પ્રજા માટે ખુલ્લો મુકાયો છે.