નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશને અલગ રાજ્યનો દરજ્જો આપવાના મામલે ગઠબંધન તોડયુ છે. અવિશ્વાસના પ્રસ્તાવની ચીમકી પણ ઉચ્ચારી છે. ત્યારે હવે આ મામલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ખાસ બેઠક બોલાવી છે. TDP સરકારથી અલગ થયા બાદ અમિત શાહે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ભાજપ રણનીતિ બનાવી શકે છે.
ત્યારે હવે અમિતશાહે આંધ્રપ્રદેશના નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં રાજકિય સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. રાજ્યમાં અન્ય પાર્ટીના વિકલ્પો પર રણનીતિ ઘડાશે. અહીં લોકસભાની 25 સીટો છે અને આગલા વર્ષે લોકસભા ચૂંટણીની સાથે અહીં વિધાનસભા ચૂંટણી પણ થવાની છે.
પાર્ટી પહેલા જણાવી ચૂકી છે કે ટીડીપી દ્વારા ગઠબંધન ખતમ કરવાનો એક અવસર છે જેથી તે રાજ્યમાં વિકાસ કરી શકે. ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કહ્યું કે કેન્દ્ર વિરૂદ્ધ દુષ્પ્રચાર બાદ ટીડીપીનું ગઠબંધનથી હટાવવાનું આવશ્યક થઇ ગયું હતું.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન.ચંદ્રાબાબૂ નાયડૂએ કહ્યું કે તેઓ રાજ્યના કાનૂની અધિકારો નક્કી કરવા માટે એક ધર્મયુદ્ધ લડી રહ્યા છે. ટીડીપીની વિશ્વસનીયતાને લઇ રાષ્ટ્રીય સ્તરે પાર્ટીઓ એનડીએ સરકાર વિરૂદ્ધ તેમની પાર્ટીએ અવિશ્વાસના પ્રસ્તાવનું સમર્થન કરી રહ્યા છે.
ટીડીપીએ એનડીએ છોડવા અને લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યા બાદ નાયડૂએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ હવે આગળ વધશે અને રાષ્ટ્રીય સ્તરે અલગ-અલગ પાર્ટીઓને સાથે લાવશે. ચંદ્રાબાબૂ નાયડૂએ કહ્યું કે તેમણે હજી સુધી કોઇ પણ પાર્ટી સાથે સંપર્ક કર્યો નથી. પરંતુ ટીડીપીની વિશ્વસનીયતાને જોતા સમર્થકો આગળ આવી રહ્યા છે.