કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અમિત શાહના કાર્યક્રમને લઈ તાબડતોબ કામગીરી શરૂ કરવામાં આવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે આવશે ગુજરાત
અમદાવાદ, ગાંધીનગરમાં વિકાસ કામોનું કરશે લોકાર્પણ
વિરોચન નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કરશે લોકાર્પણ
ગુજરાત વિધાસભાની ચૂંટણીની તેજ ગતિવિધિઑ વચ્ચે રાજકીય પક્ષોના આગેવાનો ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે. તેવામાં વધુ એક વખત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. તેઑ આવતીકાલથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ વેળાએ તેમના દ્વારા અમદાવાદ, ગાંધીનગરમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવશે.
બાવળા ખાતે APMCના સંમેલનમાં આપશે હાજરી
આવતીકાલથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. દરમિયાન અમિત શાહના હસ્તે 26 સપ્ટેમ્બરના રોજ વિરોચન નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવશે. વધુમાં બાવળા ખાતે APMC દ્વાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાજરી આપશે. તે ઉપરાંત ખારીકટ-ફતેવાડી કેનાલના પિયત વિસ્તારના કાર્યક્રમમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેશે. વધુમાં 27 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગરના કલોલ ખાતે આયોજીત એક કાર્યક્રમમાં હાજર રહેશે.
વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
ઉપરાંત રાજ્ય કામદાર વીમા યોજનાની 150 બેડની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવાનું આયોજન હાથ ધરાયુ છે. જે હોસ્પિટલનું ખાતમુહૂર્ત પણ અમિત શાહ દ્વારા કરવામાં આવશે. તેમજ 27 સપ્ટેમ્બરે વતન માણસાની મુલાકાત લેશે અને નવરાત્રી દરમિયાન સહ પરિવાર માતાની આરતીમાં સામેલ થશે. તે અંગેનો કાર્યક્રમ ગોઠવાયો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 29મી અને 30મી સપ્ટેમ્બરના રોજ ગુજરાત આવી રહ્યા છે. આ મુલાકાત વેળાએ તેઑ સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજી ખાતે હાજરી આપશે અને 30મી સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટ પર મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી પ્રારંભ કરાવશે. બતાવશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુલાકાતને લઇને તંત્ર દ્વારા તડામાર તૈયારી આરંભી દેવામાં આવી છે.