હાલ અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે ગૃહમંત્રી નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની સમીક્ષા સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જો કે અમિત શાહની ગુજરાત મુલાકાતને લઇને ફરી સંગઠનમાં વિવિધ નિમણૂંકોનો લઇને અટકળો તેજ જોવા મળી છે.
ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે
અમિત શાહ 3 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે
ભાજપ સગંઠનમાં વિવિધ નિમણૂંકોને લઇ કરશે ચર્ચા
ઉલ્લેખનીય છે કે હાલ છેલ્લા થોડા સમયથી આંદોલને ગાંધીનગરને બાનમાં લીધું હતુ. રાજ્ય સરકાર હાલ આ આંદોલનકારીઓને મનાવામાં સફળ રહી છે. પરંતુ ગૃહમંત્રી અમિત શાહના આગમનને લઇને ફરી પ્રદેશ અધ્યક્ષ સહિત ભાજપ સંગઠનમાં વિવિધ નિણૂંકોને લઇને ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે.
ગૃહમંત્રી અમિત શાહ 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. ભાજપ સગંઠનમાં વિવિધ નિમણૂંકોને લઇ ચર્ચા કરશે. માર્ચના પ્રથમ સપ્તાહમાં સગંઠનના હોદ્દાઓ નિમણૂંક થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.
પ્રદેશ અધ્યક્ષ સહિતની નિમણૂંકોનો અંત આવે તેવી શક્યતા છે. રવિવારે રાત્રે અમિત શાહ અમદાવાદ આવશે. સોમવારે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સાથે અમિત શાહ મંગળવારે કે.પી.વિદ્યાર્થી ભવનના શિલાયન્સ કાર્યક્રમમાં હાજરી આપશે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શિવરાત્રીના દિવસે વડોદરાના પ્રવાસે આવવાના હતા. પરંતુ અમિત શાહનો વડોદરા પ્રવાસ રદ થયો હતો. અમિત શાહ શિવરાત્રી મહોત્સવમાં ભાગ લેવા વડોદરા આવવાના હતા. આ સાથે જ ગૃહમંત્રી વિવિધ વિકાસ કાર્યના લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેવાના હતા.