કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસીય જમ્મૂ-કાશ્મીરના પ્રવાસે જઇ રહ્યાં છે. આ દરમિયાન અમિત શાહ રાજ્યની સુરક્ષા સ્થિતિ તેમજ વિકાસ કાર્યો અંગે સમીક્ષા કરશે. ગૃહપ્રધાન બન્યા બાદ અમિત શાહની આ પ્રથમ જમ્મૂ-કાશ્મીર મુલાકાત છે.
શ્રીનગરમાં અમિત શાહ બેઠક દરમિયાન આંતરિક સુરક્ષાની સાથે અમરનાથ યાત્રાની વ્યવસ્થા પર પણ ચર્ચા કરશે. જો કે સૂત્રોનું માનીએ તો અમિત શાહ અમરનાથજીની ગુફામાં દર્શન કરવા જાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે અમરનાથા યાત્રા 1લી જૂલાઇથી શરૂ થશે જે 15 ઓગસ્ટ સુધી ચાલશે.
અમિત શાહ આ દરિયાન આતંકીઓ દ્વારા મારવામાં આવેલા ભાજપના કાર્યકર્તાઓના પરીવારજનોને મળવા જશે. આ સાથે અનંતનાગમાં 12 જૂનના રોજ આતંકી હુમલામાં શહીદ એસએચઓ અરશદ ખાનના શ્રીનગર સ્થિત નિવાસસ્થાને પણ જશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજથી જમ્મૂ-કશ્મીરની બે દિવસની મુલાકાતે જશે. અમિત શાહ જમ્મૂ-કશ્મીર જઈને અમરનાથ યાત્રાની સુરક્ષાને લઈને સમીક્ષા કરશે. સુત્રોનું માનીએ તો અમિત શાહ સેના તથા અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે પણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે અને સુરક્ષાની સમીક્ષા કરશે.
આ ઉપરાંત આતંકવાદીઓ સામેની કાર્યવાહીને લઈને પણ માહિતી મેળવશે. આ સિવાય સીમા પારથી થતી ઘૂસણખોરીને ડામવા લેવામાં આવેલા પગલાની પણ માહિતી મેળવશે. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ રાજ્યપાલ સત્યપાલ મલિક સાથે પણ મુલાકાત કરશે અને સુરક્ષાની જાણકારી મેળવશે. આ સિવાય શ્રીનગર જઈને રાજભવનમાં રોકાશે.
ત્યાર બાદ અમિત શાહ અમરનાથ યાત્રાની સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓની સમીક્ષા કરશે. અમિત શાહ યુવાઓ, સમાજસેવીઓ, રાજકીય પક્ષો અને વિવિધ પ્રતિનિધિ મંડળો સાથે પણ મુલાકાત કરશે.
ઉલ્લેખનીય છે કે, આગામી પહેલી જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થશે. ત્યારે અમરનાથની યાત્રાને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અમરનાથ યાત્રા અને યાત્રાળુઓને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વખતે યાત્રામાં અત્યંતઆધુનિક સાધનોનો પણ ઉપયોગ કરવામા આવ્યો છે.