કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બિહાર અને ઓડિશા પછી આજે પશ્ચિમ બંગાળમાં જન સંવાદ રેલીને સંબોધન કર્યું. આ તમામ રેલી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દિલ્હીથી કરવામાં આવી રહી છે. આ વર્ચુઅલ રેલીમાં અમિત શાહે રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીને CAA, રાજકીય હિંસા અને કેન્દ્રની યોજનાઓ લાગુ ન કરવા જેવા મુદ્દાઓ પર નિશાન તાક્યું. આ સાથે અમિત શાહે મમતા બેનર્જીને કહ્યું કે તમે રેલી, રોડ રોકી શકો છો, પરંતુ રાજ્યમાં પરિવર્તનને નહીં રોકી શકો.
અમિત શાહે બંગાળ સરકાર પર કેન્દ્ર સરકારની યોજનાઓ લાગુ ન કરવાનો આરોપ લગાવતા મમતા બેનર્જીને પડકાર ફેંકયો છે અને કહ્યું કે આ રાજનીતિની વસ્તુ નથી. અમિત સાહે કહ્યું કે બંગાળમાં સતા પરિવર્તન થશે અને શપથની એક જ મિનિટની અંદર આયુષ્માન ભારત યોજના બંગાળમાં લાગુ થઇ જશે.
બંગાળ માટે કરવામાં આવેલી વર્ચુઅલ રેલીમાં અમિત શાહે મમતા બેનર્જીને કહ્યું કે તમે બંગાળની જનતા સાથે સંવાદ કરતાં રોકી નહીં શકો, તમે રોડ અને રેલી રોકી શકો છો, પરંતુ પરિવર્તનને નહીં રોકી શકો.
અમિત શાહે સંબોધનમાં કહ્યું કે અમે અમારી સરકારનો હિસાબ આપી રહ્યાં છીએ, મમતાજી તમે 10 વર્ષનો હિસાબ તો જણાવો, પરંતુ બોમ્બ બ્લાસ્ટ અને ભાજપના કાર્યકર્તાઓના મૃત્યુંનો આંકડો ન બતાવશો.
અમિત શાહે મમતા બેનર્જી પર CAA અને પ્રવાસી શ્રમિકોને લઇને નિશાન તાક્યું હતું. અમિત શાહે કહ્યું કે મમતાજી તમે CAA નો વિરોધ કર્યો, અમે પ્રવાસી શ્રમિકને લઇને ટ્રન ચલાવી જેનું નામ શ્રમિક ટ્રેન આપ્યું, પરંતુ તમે આ ટ્રેનને રોકી કોરોના એક્સપ્રેસ બોલી શ્રમિકોનું અપમાન કર્યું. અમિત સાહે કહ્યું શ્રમિકોની આ ટ્રેન તમને બહાર કરશે.
જનસંવાદ રેલીને સંબોધન કરતાં અમિત શાહે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ભાજપના 100થી વધુ કાર્યકર્તાઓએ જીવ ગુમાવ્યો, ભાજપના આ કાર્યકર્તાઓનું બલિદાન યાદ રહેશે. રાજ્યના લોકોએ હંમેશા પીએમની અપીલ સ્વીકારી છે. ભાજપ સંસ્કારી પશ્ચિમ બંગાળ બનાવવા માગ છે.