ભાજપે મમતા બેનર્જીની પાર્ટી TMC ઉપર આક્ષેપ મુક્યો છે કે TMCએ ભાજપના પ્રેસિડેન્ટ J P નડ્ડાના કાફલા ઉપર હુમલો કર્યો હતો.
આ મુદ્દે કેન્દ્રના ગૃહ વિભાગે 3 IPS અધિકારીઓને દિલ્હી બોલાવ્યા છે. ગૃહ વિભાગે પત્ર લખીને કહ્યું છે કે આ 3 અધિકારીઓને કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર બોલાવવામાં આવ્યા છે.
કેન્દ્ર પશ્ચિમ બંગાળના IAS IPS અધિકારીઓ ઉપર દબાણ ઉભું કરવા માંગે છે
આ પત્રનો વિરોધ કરતા TMC ના MP કલ્યાણ બેનર્જીએ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાને એક પત્ર લખીને કહ્યું છે કે આ ત્રણેય અધિકારીઓને (જેઓ J P નડ્ડાના કાફલા ઉપર થયેલા હુમલા સમયે સ્થળ ઉપર હાજર હતા) ફરજિયાત કેન્દ્રમાં બોલાવીને કેન્દ્ર સરકાર IAS IPS અધિકારીઓ ઉપર દબાણ ઉભું કરવા માંગે છે.
ગૃહ મંત્રી અમિત શાહ પરોક્ષ રીતે બંગાળમાં કટોકટી લાદવા માંગે છે. આ પત્રમાં એમ પણ આરોપ મુકાયો હતો કે કેન્દ્ર સરકાર બંધારણના માળખાને છંછેડી રહ્યા છે.
આવતા વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભામાં ચૂંટણી
નોંધનીય છે કે ભાજપ અને TMC વચ્ચેની ચડસાચડસીના કેન્દ્રમાં આવતા વર્ષે આવી રહેલી ચૂંટણી છે. હાલ જ ભાજપના પ્રેસિડેન્ટના કોન્વોય ઉપર ઇંટો, પથ્થરો અને લાકડીઓથી હુમલો કરવામાં આવ્યો હતો.
કોલકાતા નજીક થયેલા આ હુમલામાં ઘણા કાર્યકરો અને નેતાઓ હાજર થયા હતા અને ગાડીઓને પણ નુકશાન થયું હતું. ભાજપના નેતા મુકુલ રોય અને કૈલાશ વિજયવર્ગીયને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ભાજપે આ હુમલા પાછળ તૃણમૂલ કોંગ્રેસનો હાથ ગણાવ્યો હતો.