લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન 19મી એ યોજાવાનું છે. જેને લઈને ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. જેથી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગઈકાલે રાજકોટ એરપોર્ટ પહોંચ્યા. તેઓ સવારે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. તેમજ સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં પણ અમિત શાહ હાજરી આપશે. મહત્વનું છે કે,અમિત શાહે રાજકોટ ખાતે સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કર્યુ.