પ.બંગાળમાં સત્તા સંઘર્ષ માટે ભારતીય જનતા પાર્ટીએ હવે કમર કસી લીધી છે અને ગૃહમંત્રી અમિત શાહ પોતે મમતાથી મુકાબલો કરવા મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે.
પ.બંગાળના પ્રવાસ પર જઈ શકે છે અમિત શાહ
જેપી નડ્ડાનો પ્રવાસ રદ કરી દેવાયો
કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે અમિત શાહ રણનીતિ પર ચર્ચા કરશે
ભાજપમાં જોરદાર જુસ્સો
પ. બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. ભાજપે આ ચૂંટણી માટે તૈયારીઓ અત્યારથી શરુ કરી દીધી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે મમતાના ગઢમાં 42માંથી 18 પર કબજો કર્યો હતો જે બાદથી ભાજપનો જુસ્સો ખૂબ વધી ગયો છે.
બે દિવસના બંગાળના પ્રવાસ પર શાહ
મમતાના ગઢમાં ભારતીય જનતા પાર્ટી સત્તાના સિંહાસન પર બેસવા માટે ખૂબ આતુર છે. એવામાં હવે ગૃહમંત્રી અમિત શાહ બંગાળની યાત્રા પર આવી રહ્યા છે. વિવિધ મીડિયા અહેવાલો અનુસાર અમિત શાહ બે દિવસના બંગાળના પ્રવાસ પર રહેશે, પહેલા અહેવાલો હતા કે જેપી નડ્ડા બંગાળ જઈ શકે છે.
નડ્ડાની યાત્રા રદ
એક ઘટનાક્રમમાં પ.બંગાળના મહાસચિવ સંયંતન બસુએ કહ્યું કે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની છઠ્ઠી નવેમ્બરની યાત્રાને રદ કરી દેવામાં આવી છે અને હવે નિર્ણય લેવાયો છે કે પાંચમી નવેમ્બરથી અમિત શાહ બે દિવસની બંગાળ યાત્રા પર આવશે.
રણનીતિ પર ચર્ચા
તેમણે કહ્યું કે પાંચમીએ મેદિનીપુરનો પ્રવાસ કરે તેવી શક્યતા છે અને આગલા દિવસે તેઓ પાર્ટી નેતાઓ સાથે મુલાકાત કરશે. કાર્યક્રમને હજુ અંતિમ રૂપ આપવામાં આવ્યું નથી. ભાજપના બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું કે શાહ સંગઠનનાં વિવિધ રણનીતિ પર ચર્ચા કરશે અને કોલકાતામાં પ્રેસ કોન્ફ્રેન્સ પણ કરી શકે છે.