કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે પહોંચ્યા છે. આજથી બે દિવસ(3-4 જૂલાઇ) સુધી અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે. બુધવારે 4 વાગે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં જ્યા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 3 અને 4 જુલાઈના રોજ ગુજરાત પ્રવાસે છે. જેને લઈને આજે અમિત શાહ અમદાવાદ આવ્યા હતા. અમિત શાહે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઈન્કમટેક્સ સર્કલ પર બાંધવામાં આવેલા ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું.
Gujarat: Union Home Minister Amit Shah arrives in Ahmedabad. He will inaugurate Income-Tax flyover and DK Patel Hall in the city and also take part in a program at Gujarat University. pic.twitter.com/9tDe45kGHS
ત્યારબાદ તેઓ ઈન્કમટેક્સ કચેરી પાછળ આવેલા દિનેશ હોલમાં યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નારણપુરા ખાતે બાંધવામાં આવેલા સ્વ. ડી.કે.પટેલ કોમ્યુનિટી હોલ અને મ્યુનિસિપલ લાઈબ્રેરીનું લોકાર્પણ કર્યું હતું.
આ ઉપરાંત અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારની 5 તાલુકા પંચાયત બિલ્ડીંગોનું પણ લોકાર્પણ કર્યું હતું. જ્યારે 4 જુલાઈના રોજ અષાઢી બીજ નિમિત્તે સવારે 4 કલાકે જમાલપુર સ્થિત જગદીશ મંદિર ખાતે મંગળા આરતીમાં ભાગ લેશે.
મહત્વનું છે કે, એએમસી દ્વારા બનાવાયેલા પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આશ્રમ રોડ ખાતે રુ. 60 કરોડ જેટલા ખર્ચે નવનિર્મિત ઇન્કમટેક્સ ફ્લાય ઓવર બ્રિજ બન્યો છે.