કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 26મી માર્ચે અમદાવાદ આવશે સાયન્સ સિટી,ગોતા અને થલતેજમાં 306 કરોડ રૂપિયાના 900 આવાસોનું લોકાર્પણ કરશે. આયુષમાન થીમ પર બનાવતા ગાર્ડનનું ખાતમુર્હૂત કરાશે, આવતીકાલના શનિવારના કાર્યક્રમને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચશે.
3 થી વધુ સ્થળે જનસભાઓને પણ સંબોધશે અમિત શાહ
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ એક દિવસની ગુજરાત મુલાકાતે આવવાના છે ત્યારે તેમના સંસદીય ક્ષેત્રના 300 કરોડથી વધુ કામો ખાતમુર્હુત અને લોકપર્ણ કરશે. 150 કરોડના ખર્ચે આકાર પામેલા બ્રિજ સહિત 20 કરોડના ખર્ચે અમદાવાદ નારણપુરામા આકાર પામેલા વૉટર ડિસ્ટીબ્યુશન સેન્ટર ખુલ્લું મુકશે. ગોતા અને થલતેજમાં 20 કરોડના ખર્ચે આકાર પામેલા પ્રધાનમંત્રી આવાસનું લોકપર્ણ કરશે. સરખેજમાં 5 કરોડ સરખેજ ગાર્ડનનું ડેવલોમેન્ટનો ચિતાર મેળવશે. સાથે જ 3 થી વધુ સ્થળે જનસભાઓ પણ ગજવશે
જાણો અમિત શાહના પ્રવાસનો સમગ્ર કાર્યક્રમ
સવારે 9.30 કલાકે સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદ હાજર રહેશે
સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજ નો પ્રારંભ કરાશે
ગરીબ - જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થાની અલગ વ્યવસ્થા શુભારંભ કરવામાં આવશે
10:30 વાગે કલોલ પહોંચશે
મોટી ભોંયણ ખાતે સવારે 10.30 કલાકે વિવિધ કાર્યોના ઇ ખાતમુહૂર્ત - લોકાર્પણ કરશે
આંગણવાડી બહેનો અને આરોગ્ય વિભાગના કર્મીઓને કેન્સરની વહેલી તપાસ - નિદાન માટેના તાલીમ કાર્યક્રમનો પ્રારંભ કરાવાશે જાહેર સભાને સંબોધશે
11.45 કલાકે ભારતમાતા ટાઉનહોલ, કલોલ ખાતે જાહેર સભાને સંબોધશે
કલોલ નગરપાલિકાના ઉપક્રમે બીવીએમ ફાટક પરના ઓવરબ્રિજ અને સરદાર બાગના નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે
સાંજે 5.00 કલાકે જી. ડી. પાર્ટી પ્લોટ, સોલા, અમદાવાદ ખાતે એ.એમ.સી. દ્વારા નિર્મિત વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને તૈયાર થનાર જુદા જુદા કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમ કરાશે તેમજ અમદાવાદ ખાતે જાહેર સભાને સંબોધન પણ કરશે. વિધાનસભા 2022ની ચૂંટણી પહેલા છેલ્લા 15 દિવસમાં અમિત શાહનો આ બીજો ગુજરાત પ્રવાસ છે.