ઘાટીમાં વધતી જતી આંતકવાદી પ્રવૃત્તિઓ વચ્ચે આવીકાલથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ જમ્મુ-કાશ્મીરના ત્રણ દિવસની મુલાકાતે રવાના થશે. તેઓ આવતીકાલે શ્રીનગર પહોંચશે અને સુરક્ષા સમીક્ષા બેઠકોની અધ્યક્ષતા કરશે. અમિત શાહ લક્ષિત હુમલાની લહેરની વચ્ચે પંચાયતના સભ્યો તેમજ રાજકીય કાર્યકરોને સંબોધિત કરશે.ઓગસ્ટ 2019 માં કલમ 370 હટાવ્યા બાદ અમિત શાહની આ પ્રથમ જમ્મુ -કાશ્મીર મુલાકાત હશે, જેનો ઉદ્દેશ્ય પ્રદેશમાં વિકાસના કામોની સમીક્ષાના બહાને અટકેલી રાજકીય પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવાનો છે.
તાજેતરમાં આંતકવાદીઓએ 8 લોકોની હત્યા કરી હતી
કેન્દ્ર સરકાર કાશ્મીરની ખીણમાં થઈ રહેલી હિંસાની મોટી ઘટનાઓને લઈને ચિંતત છે. તાજેતરમાં આંતકવાદીઓએ પાંચ પ્રવાસી શ્રમિકો અને લધુમતી સમુદાયના ત્રણ લોકોની હત્યા કરી હતી. આ હત્યાઓને કારણે ઘણા શ્રમિકો અને લધુમત્તીના લોકોએ કાશ્મીરની ખીણ છોડવાની ફરજ પડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ રાજ્યની સ્થિતિ અને અટકેલી રાજકીય પ્રવૃત્તિઓ પર ચર્ચા કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાનું પણ સૂચન કર્યું હતું.પરંતુ કાશ્મીરના વિવિધ રાજકીય પક્ષોએ આવી કોઈ પણ બેઠકમાં ભાગ લેવાનો ઈન્કાર કર્યા બાદ આ બેઠકને અત્યારે અલ્પવિરામ રાખવામાં આવી છે. પીડીપી અને નેશનલ કોન્ફરન્સે શ્રીનગરમાં ગૃહમંત્રી સાથે આવી કોઈ પણ બેઠકમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે.
અમિત શાહની ત્રણ દિવસીય કાર્યક્રમની રૂપરેખા
અમિત શાહ તેમના ત્રણ દિવસના કાર્યક્રમ માટે આવતીકાલે શ્રીનગર પહોંચશે અને અહીં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે શાહે શ્રીનગર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રથમ શારજાહ-શ્રીનગર ફ્લાઈટ પણ શરૂ કરશે. ત્યારબાદ તેઓ SKICC શ્રીનગર ખાતે સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકનું અધ્યક્ષતા કરશે.આ સાથે અમિત શાહ હંદવાડા મેડિકલ કોલેજના શિલાન્યાસ સહિત અનેક વિકાસ કાર્યક્રમોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ પછી, 24 ઓક્ટોબરે, અમિત શાહ જમ્મુ જશે અને દિવસભર અહીં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને 25 ઓક્ટોબરે નવી દિલ્હી જતા પહેલા ફરી કાશ્મીરની મુલાકાત લેશે. જમ્મુના કાર્યક્રમોમાં શાહે પોતાના જિલ્લા પ્રમુખોને એક કાર્યક્રમ માટે બોલાવ્યા છે અને સૌથી મોટો કાર્યક્રમ જમ્મુમાં એક રેલી હશે, જેને શાહ સંબોધશે.
ઘાટીમાં સુરક્ષા કડક કરવામાં આવી છે
અમિત શાહની મુલાકાતને ઘ્યાનમાં રાખીને સમગ્ર ખીણમાં સુરક્ષા કડક કરવામાં આવી છે. કારણ કે સુરક્ષા દળોએ ખાસ કરીને શ્રીનગરમાં સર્ચમાં વધારો કર્યો છે અને અત્યાર સુધીમાં સેંકડો ટુ-વ્હીલર જપ્ત કર્યા છે. આતંકવાદી ઘટનાઓને રોકવા માટે શ્રીનગર અને પુલવામાના લગભગ 15 વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.જ્યારે ડાલ તળાવ નજીકનો વિસ્તાર સામાન્ય નાગરિકો માટે 23 થી 25 ઓક્ટોબર સુધી બંધ રાખવામાં આવ્યો છે. જમ્મુ -કાશ્મીર પોલીસે કહ્યું છે કે આ તમામ પગલાં આતંકવાદી હિંસાને રોકવા માટે લેવામાં આવ્યા છે અને તેનો ગૃહમંત્રીના કાર્યક્રમ સાથે કોઈ સંબંધ નથી.
અમિત શાહની મુલાકાતમાં હવામાન પણ અવરોધ બની શકે
તમને જણાવી દઈએ કે, ઓક્ટોબર મહિનામાં સુરક્ષા દળોએ ઘાટીમાં 10 એન્કાઉન્ટરમાં 17 આતંકીઓને ઠાર કર્યા છે, જ્યારે આતંકી હુમલામાં 10 સૈનિકો અને 12 નાગરિકો પણ માર્યા ગયા છે. અમિત શાહની મુલાકાતમાં હવામાન પણ અવરોધ બની શકે છે. હવામાન વિભાગે 23 થી 25 ઓક્ટોબર વચ્ચે ખીણમાં બરફવર્ષાની ચેતવણી જારી કરી છે, જેના કારણે માર્ગ અને હવાઈ જોડાણ પ્રભાવિત થવાની ધારણા છે.