દિલ્હી: આગામી લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે તમામ રાજકીય પક્ષો પોતાની રણનીતિની તૈયારીમાં લાગી ગયા છે. આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ચાર દિવસની ચિંતન શિબીર યોજાઈ છે. તો બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે ચાલી રહેલા કકળાટના નિવારણ માટે દિલ્હી હાઈકમાન્ડનું તેડુ આવ્યું છે.
જ્યારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે છે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની ચેન્નાઈમાં ચાર દિવસની ચિંતિન શિબીર યોજાઈ છે. જેમાં ભાજપ વિશ્વ હિન્દુ પરિષદ સહિત 30થી વધુ સંગઠન ભાગ લઈ રહ્યા છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદના આક્રોશને શાંત કરવા પણ દિશાનિર્દેશ આપવામાં આવશે અને ત્રણ રાજ્યમાં ભાજપની થયેલી ચૂંટણી હારને લઈને પણ સમીક્ષા કરાશે.
તો બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ વચ્ચે જે નારાજગીનો કકળાટ ચાલી રહ્યો છે. જેને લઈને દિલ્લી હાઈકમાન્ડનું તેડુ આવ્યું છે. જેથી ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા કોંગ્રેસ નેતા અને અર્જુન મોઢવાડિયા તથા વિપક્ષ નેતા પરેશ ધાનાણી દિલ્લીની મુલાકાતે છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતાઓ વચ્ચેના કકળાટને દૂર કરવા માટે આ તેડુ આવ્યું છે. જ્યારે ભાજપ રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાતે છે. અહીં તેઓ સેલવાસમાં પાર્ટીના કાર્યક્રમમાં હાજરી આપી પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન માટે આવ્યા છે. સાથો સાથ લોકસભાની ચૂંટણીને લઈને ચર્ચા પણ હાથ ધરાશે.