ગુજરાતમાં છ બેઠકોની પેટાચૂંટણીના ધમધમાટ વચ્ચે કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી ગુજરાતની મુલાકાતે છે. આજરોજ સવારે વસ્ત્રાલ ખાતે રેપિડ એકશન ફોર્સ આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી.
અમિત શાહે આજે સવારના ૮.૩૦ કલાકે અમદાવાદના વસ્ત્રાલ ખાતે આયોજિત આરએએફ (RAF) (રેપિડ એક્શન ફોર્સ)ની ર૭મી વર્ષગાંઠની ઉજવણીના આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ત્યારબાદ સવારના ૧૦.૦૦ કલાકે સાબરમતી વિધાનસભા જનસંપર્ક કાર્યાલયનું નવા વાડજ ખાતે તેમના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ ખાતે રૈપિડ એક્શન ફોર્સના 27માં સ્થાપના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @AmitShahની વિશેષ ઉપસ્થિતિમાં તથા માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjpની ઉપસ્થિતિમાં પરેડ કાર્યક્રમ યોજાયો. + pic.twitter.com/Zg9oVF6l9J
અમિત શાહ આજે પોતાના વતન માણાસા પણ જશે. ગૃહમંત્રી બન્યા બાદ અમિત શાહ પ્રથમ વખત માણસાની મુલાકાતે જશે. અમિત શાહ આજે મોડી સાંજના ૮ કલાકે તેમના માદરે વતન માણસા ખાતે નવરાિત્ર કાર્યક્રમ દરમિયાન આયોજિત મહાપૂજા અને મહાઆરતીમાં સપરિવાર ઉપસ્થિત રહેશે. અમિત શાહના પરિવાર દ્વારા વર્ષોની પરંપરા મુજબ બીજી નવરાિત્રએ કુળદેવી મા બહુચરની આરતી ઉતારવામાં આવે છે. તેઓ માણસામાં નવરાત્રીની ઉજવણીમાં ભાગ લેશે. માણસા ખાતે અમિત શાહ નવરાત્રીની આરતી ઉતારશે. અમિત શાહ પ્રાચીન બહુચર માતાજી મંદિરમાં આરતી ઉતારશે. ત્યારબાદ અમિત શાહ રાત્રે 11 વાગે કોલકાતા જવા માટે રવાના થશે.