કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અલગ અલગ રાજ્યોની આતંક નિરોધી ટુકડીઓ (ATS)ના ઉચ્ચ અધિકારીઓને મળશે. એક સંમેલનની જેમ આયોજિત કરવામાં આવેલી આ મુલાકાતમાં અમિત શાહ તેમને આતંકવાદથી છૂટકારો મેળવવા માટેની સરકારની નીતિની માહિતિ આપીને જાગૃત કરશે.
આજે ATS અધિકારીઓ સાથે અમિત શાહની મુલાકાત
તમામ રાજ્યોના ATSના ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત
સંમેલન તરીકે યોજાયેલા કાર્યક્રમમાં કરશે મુલાકાત
પાક. આતંકી સંગઠનોની વધતી ગતિવિધિને લઇ કાર્યક્રમ
NSA અજીત ડોભાલ પણ કાર્યક્રમમાં કરશે સંબોધન
આતંકવાદના ખતરાને ધ્યાનમાં રાખીને યોજાશે સંમેલન
ATSના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે આ સંમેલન જમ્મૂ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કર્યા બાદ પાકિસ્તાનના આતંકી સંગઠનની તરફથી વધતા ખતરાને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવ્યું છે.
શક્ય છે બેઠકમાં નવો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવે
રાષ્ટ્રિય તપાસ એજન્સી (NIA)ની તરફથી આયોજિત સમેલનમાં રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ ATSના અધિકારીઓને સંબોધિત કરશે. મળતી માહિતી અનુસાર માનવામાં આવી રહ્યું છે કે બેઠકના સમયે એક સમગ્ર આતંક નિરોધી એક્શન પ્લાન નક્કી કરવામાં આવે અને તેને દરેક રાજ્યોની ટીમના સહયોગથી આગળ કેવી રીતે વધારવામાં આવે તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે.