પશ્ચિમ બંગાળનાં હાવડામાં રામનવમી બાદથી તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. હાવડામાં કલમ 144 લાગૂ. અત્યારસુધી 48 લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે.
પશ્ચિમ બંગાળનાં હોબાળામાં 31 લોકોની ધરપકડ
અમિત શાહે કરી ફોન પર વાતચીત
મમતા બેનર્જીએ હિંદૂ સંગઠનને દોષીત કહ્યાં
પશ્ચિમ બંગાળનાં હાવડામાં રામનવમી બાદથી તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. અહીં રામનવમીનાં પર્વ પર આગ લગાવ્યાં બાદ આજે ફરી હિંસા ભડકી છે. જિલ્લાંનાં કાજીપારા વિસ્તારમાં ગુરુવારે થયેલી હિંસાને લઈને રાજનીતિમાં મામલો ગરમાયો છે. હાવડામાં પોલીસબળ તૈનાત કરવામાં આવ્યું છે. હાવડાનાં શિબપુર વિસ્તારમાં કડક તકેદારી ગોઠવવામાં આવી છે. પશ્ચિમ બંગાળનાં હાવડામાં રામનવમી બાદથી તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. હાવડામાં કલમ 144 લાગૂ. અત્યારસુધી 48 લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે.
Violence in Howrah | Union Home Minister Amit Shah called West Bengal BJP president Sukanta Majumdar and enquired about the law and order situation in West Bengal.
અમિત શાહે ફોન પર કરી વાતચીત
ગૃહમંત્રી અમિત શાહે બંગાળનાં ગર્વનર સાથે વાતચીત કરી છે અને હાલની સ્થિતિની સમીક્ષા લીધી છે. ભાજપની લોકેટ ચટર્જીએ આ સમગ્ર ઘટના માટે મમતા સરકારને દોષીત ઠેરવ્યું છે સાથે જ NIAની તપાસની માગ કરી છે.
West Bengal BJP president Sukanta Majumdar writes to Union Home Minister Amit Shah over the violence in Howarh and Dalkhola; requests "an impartial inquiry involving Central agencies like NIA"
"It is our firm belief that the whole incident was pre-planned by the unfolding of… pic.twitter.com/WonyWQ4MtK
48 લોકોની ધરપકડ
રામનવમીનાં પર્વ પર થયેલી હિંસામાં અત્યારસુધી 48 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાવડામાં રામનવમી યાત્રા દરમિયાન થયેલા હોબાળા પર CM મમતા બેનર્જી ભડકી હતી. તેમણે આ માટે હિંદૂ સંગઠનો પર જ રૂટ બદલવાનો આરોપ લગાવ્યો છે જેના જવાબમાં VHP વિશ્વ હિંદૂ પરિષદે રૂટ બદલવા જેવા આરોપોને ખોટા કહ્યાં છે.
VHPએ મમતા દીદી પર સાધ્યું નિશાન
VHPએ કહ્યું કે'હુમલાખોરોને પશ્ચિમ બંગાળની સરકાર બચાવી રહી છે. ભાજપ સાંસદ લોકેટ ચેટર્જીએ કહ્યું કે મમતા બેનર્જીએ રાજીનામું આપી દેવું જોઈએ. તે રાજ્યની મુખ્યમંત્રીની સાથે ગૃહમંત્રી પણ છે. એક પછી એક આવી ઘટનાઓ થઈ રહી છે. તેમણે કહ્યું કે આ મામલામાં તપાસ NIA દ્વારા થવી જોઈએ.'