અમિત શાહ હવે વિધિવત રીતે ગૃહમંત્રી તરીકેનો પદભાર સંભાળી ચૂક્યાં છે. મોદી સરકારમાં પ્રધાનમંત્રી મોદી બાદ અમિત શાહ નંબર ટુ પર છે. મોદી બાદ સૌથી મહત્વનું પદ સંભાળનારા અમિત શાહ સામે ખાસ મોટા પડકારનો પહાડ છે. શાહ પાસે જેટલું મોટુ પદ છે. તેટલી જ મોટી જવાબદારી છે. શાહ સામે જમ્મૂ-કશ્મીરમાં ધારા 370 અને 35A ઉપરાંત કાશ્મીરી પંડિતોનાં પુનર્વસનની જવાબદારી છે.
મોદી સરકાર-2માં કેબિનેટ મંત્રીઓને મંત્રાલયની ફાળવણી બાદ આખરે ટીમ મોદી એક્શનમાં આવી ગઈ છે. અમિત શાહે ગૃહમંત્રી પદનો ચાર્જ સંભાળી લીધો છે. મોદી સરકારમાં અમિત શાહને ગૃહમંત્રાલય સોંપવામાં આવ્યું છે અને હવે અમિત શાહે પણ ગૃહમંત્રીનું પદ સંભાળી લીધું છે તો બીજી તરફ રાજનાથસિંહે પણ રક્ષામંત્રીનું પદ સંભાળશે. આ પૂર્વે રાજનાથસિંહ વોર મેમોરિયલમાં જશે અને ત્યાં શહીદોને પણ શ્રદ્ધાંજલિ આપશે.
Delhi: Amit Shah takes charge as the Union Home Minister. MoS (Ministry of Home Affairs) G Kishan Reddy and Nityanand Rai are also present. pic.twitter.com/FaxGYpuiT0
અમિત શાહ હવે વિધિવત રીતે ગૃહમંત્રી તરીકેનો પદભાર સંભાળી ચૂક્યાં છે. મોદી સરકારમાં પ્રધાનમંત્રી મોદી બાદ અમિત શાહ નંબર ટુ પર છે. મોદી બાદ સૌથી મહત્વનું પદ સંભાળનારા અમિત શાહ સામે ખાસ મોટા પડકારનો પહાડ છે. શાહ પાસે જેટલું મોટુ પદ છે. તેટલી જ મોટી જવાબદારી છે. શાહ સામે જમ્મૂ-કશ્મીરમાં ધારા 370 અને 35A ઉપરાંત કાશ્મીરી પંડિતોનાં પુનર્વસનની જવાબદારી છે.
તેમજ દેશની રાજધાનીમાં ચાલી રહેલા વિવાદને થાળે પાડવાની જવાબદારી પણ અમિત શાહ પર છે. આ ઉપરાંત દેશમાં વકરી રહેલા નક્સલવાદને ડામવાની જવાબદારી પણ અમિત શાહનાં શીરે છે. તો બીએસએફ અને સીઆરપીએફનાં જવાનોની લાંબા સમયની પડતર માગણીઓ સંતોષવાની જવાબદારી પણ તેમની પર છે. અમિત શાહ પર સરકાર તરફ ગૃહમાં ફ્લોર મેનેજમેન્ટની જવાબદારી છે. તો નવા પક્ષ પ્રમુખને પણ માર્ગદર્શન આપવાથી લઈને એનડીએનાં સહયોગીઓ સાથે સંકલન સાધવાની જવાબદારી રહેશે.