નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં પાસ થઇ ગયા બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉપરી સદન રાજ્યસભામાં રજૂ કર્યું છે. વિપક્ષ દ્વારા આ બિલનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને બંધારણની વિરુધ્ધ બતાવ્યું છે.
ગૃહમંત્રી અમિત શાહે રજૂ કર્યુ નાગરિકતા સંશોધન બિલ
CAB પર રાજ્યસભામાં અમિત શાહનું નિવેદન
નાગરિકતા બિલ સાથે કરોડો લોકોની આશા જીવંત
રાજ્ય સભામાં આજે કાર્યવાહી દરમિયાન ચાર સાંસદ ઉપસ્થિત રહેશે નહીં. આ બધા સાંસદો ખરાબ સ્વાસ્થ્યના કારણે હાજર રહેશે નહીં. આ સાંસદોમાં માજિદ મેનન, વીરેન્દ્ર કુમાર, અનિલ બલૂની, અમર સિંહ સામેલ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલને રજૂ કરતા જણાવ્યું કે આ એક ઐતિહાસિક બિલ છે.આ બિલમાં જે જોગવાઇ છે તેનાથી લાખો-કરોડો લોકોને ફાયદો થશે.
અમિત શાહે રાજ્યસભામાં નાગરિકતા સંશોધન બિલને રજૂ કર્યા બાદ નિવેદન આપતા કહ્યું કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં લઘુમતી વર્ગ ખુશ નથી. બાંગ્લાદેશમાં લઘુમતીઓ સાથે અત્યાચાર થઇ રહ્યાં છે. ભાજપ મતબેંકનું રાજકારણ કરી રહ્યું નથી.
અમિત શાહે કહ્યું કે અમારા ચૂંટણી ઢંઢેરામાં આ બિલ હતું, બિલથી પીડા થતાં લોકોને રાહત મળશે. પૂર્વોત્તર રાજ્યોની ચિંતાથી પણ અમે વાકેફ છીએ.